વાવાઝોડાના કોઈપણ પરિસ્થિતિ સામે લડી લેવા માટે વહીવટી તંત્ર અને સામાજિક સંસ્થાઓ તૈયારઃ કનુભાઇ દેસાઇ
મોરબી જીલ્લામાં વાવાઝોડાના સમયે પેટ્રોલ પંપ ઉપર વેચાણ બંધ કરી મેઇન પાવર બંધ કરવા સૂચના
SHARE
મોરબી જીલ્લામાં વાવાઝોડાના સમયે પેટ્રોલ પંપ ઉપર વેચાણ બંધ કરી મેઇન પાવર બંધ કરવા સૂચના
મોરબી જીલ્લમાં પેટ્રોલ પંપના ડીલરો અને સસ્તા અનાજના દુકાનદારો સાથે મંત્રી કનુભાઈ દેશાઈની અધ્યક્ષતામાં એક ઈમરજન્સી મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા હાલ વાવાઝોડાને કારણે ઉભી થતી આપતકાલિન પરીસ્થિતિમાં સરકારના આદેશોનું પાલન કરાની સુચના અયાઇ છે જેમા ખાસ કરીને પેટ્રોલ-ડીઝલનો નિયમ મુજબ પર્યાપ્ત જથ્થો ફરજિયાત રાખવો. સરકાર ની જરૂરિયાતના સંજોગોમાં માલનો પુરતો જથ્થો નહી હોવાને કારણે કાયદેસર ની કાર્યવાહી કરાશે, સલામતીના ભાગરુપે જ્યારે પવન કે વાવાઝોડા વખતે કોઈપણ કસ્ટમર અથવા કર્મચારીએ કેનોપી નીચે રહેવું નહી, સલામત જગ્યાએ રહેવું. અને વાવાઝોડા સમયે વેચાણ કરવું નહી અને મેઈન પાવર બંધ કરી દેવા માટે સુચના દેવાઇ છે.
બીપોરેજોય વાવાઝોડાના અનુસંધાને આપાતકાલીન પરિસ્થિતિ માં મોરબી જિલ્લા પેટ્રોલિયમ એસોસિયેશન પ્રમુખ વિનોદ નાથાભાઈ ડાભી એ હેલ્પલાઇન નંબર જાહેર કરેલ છે અને આપાતકાલીન સ્થિતી મા કોઈ પણ સરકારી વાહનો જેવા કે એમ્બ્યુલન્સ, ફાયર સફેટી વાહનો,યા અન્ય કોઈ પણ ઇમરજન્સી જરૂરિયાત વાહનો ને ડીઝલ ની જરૂરિયાત રેહસે તો ત્યાં ઓન સાઈટ ડીઝલ ની ડિલિવરી સરકારી નિયમ મુજબ કરી આપવા મા આવશે. જે હેલ્પ લાઇન નંબર આપેલ છે તેમા વિનોદ ડાભી 9825060535 અને મહેશ ડાભી 9727702814 ના નંબર આપેલ છે.