હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વાવાઝોડાના સમયે પેટ્રોલ પંપ ઉપર વેચાણ બંધ કરી મેઇન પાવર બંધ કરવા સૂચના


SHARE







મોરબી જીલ્લામાં વાવાઝોડાના સમયે પેટ્રોલ પંપ ઉપર વેચાણ બંધ કરી મેઇન પાવર બંધ કરવા સૂચના

મોરબી જીલ્લમાં પેટ્રોલ પંપના ડીલરો અને સસ્તા અનાજના દુકાનદારો સાથે મંત્રી કનુભાઈ દેશાઈની અધ્યક્ષતામાં એક ઈમરજન્સી મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા હાલ વાવાઝોડાને કારણે ઉભી થતી આપતકાલિન પરીસ્થિતિમાં સરકારના આદેશોનું પાલન કરાની સુચના અયાઇ છે જેમા ખાસ કરીને પેટ્રોલ-ડીઝલનો નિયમ મુજબ પર્યાપ્ત જથ્થો ફરજિયાત  રાખવો. સરકાર ની જરૂરિયાતના સંજોગોમાં માલનો પુરતો જથ્થો નહી હોવાને કારણે કાયદેસર ની કાર્યવાહી કરાશે, સલામતીના ભાગરુપે જ્યારે પવન કે વાવાઝોડા વખતે કોઈપણ કસ્ટમર અથવા કર્મચારીએ કેનોપી નીચે રહેવું નહી, સલામત જગ્યાએ રહેવું. અને વાવાઝોડા સમયે વેચાણ કરવું નહી અને મેઈન પાવર બંધ કરી દેવા માટે સુચના દેવાઇ છે.

બીપોરેજોય વાવાઝોડાના અનુસંધાને આપાતકાલીન પરિસ્થિતિ માં મોરબી જિલ્લા પેટ્રોલિયમ એસોસિયેશન પ્રમુખ વિનોદ નાથાભાઈ ડાભી એ હેલ્પલાઇન નંબર જાહેર કરેલ છે અને આપાતકાલીન સ્થિતી મા કોઈ પણ સરકારી વાહનો જેવા કે એમ્બ્યુલન્સ, ફાયર સફેટી વાહનો,યા અન્ય કોઈ પણ ઇમરજન્સી જરૂરિયાત વાહનો ને ડીઝલ ની જરૂરિયાત રેહસે તો ત્યાં ઓન સાઈટ ડીઝલ ની ડિલિવરી સરકારી નિયમ મુજબ કરી આપવા મા આવશે. જે હેલ્પ લાઇન નંબર આપેલ છે તેમા વિનોદ ડાભી 9825060535 અને મહેશ ડાભી 9727702814 ના નંબર આપેલ છે.






Latest News