હળવદમાં મારામારી-હત્યાની કોશિશના ગુનામાં એક આરોપીના શરતી જામીન મંજૂર મોરબીમાં મિત્રતાના સંબંધમાં આપેલ 5 લાખ રૂપિયા પાછા ન આપનારા મિત્રને કોર્ટે ફટકારી સજા હળવદના કવાડિયા નજીક એસટી બસ સાથે ટ્રેકટર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનું મોત ટંકારાના છતર નજીક રોડ વચ્ચે બંધ પડેલ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત હળવદના મયાપુર ગામે જમીનના ડખ્ખામાં થયેલ મારા મારીના બનાવમાં હવે વળતી ફરિયાદ મોરબીમાં હાઉસિંગ બોર્ડ નજીક વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીના સિટી મોલમાં આવેલ ઓફિસમાં ક્રિકેટ સટ્ટો રમતા 4 શખ્સો 5.26 લાખના મુદામાલ સાથે પકડાયા, આઈડી આપનાર 4 શખ્સોની શોધખોળ મોરબી-વાંકનાએરમાં વિદેશી દારૂની 3 રેડમાં 466 બોટલ દારૂ 96 બીયરના ટીન ઝડપાયા: બે આરોપી પકડાયા, બે ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વાવાઝોડાના સમયે પેટ્રોલ પંપ ઉપર વેચાણ બંધ કરી મેઇન પાવર બંધ કરવા સૂચના


SHARE













મોરબી જીલ્લામાં વાવાઝોડાના સમયે પેટ્રોલ પંપ ઉપર વેચાણ બંધ કરી મેઇન પાવર બંધ કરવા સૂચના

મોરબી જીલ્લમાં પેટ્રોલ પંપના ડીલરો અને સસ્તા અનાજના દુકાનદારો સાથે મંત્રી કનુભાઈ દેશાઈની અધ્યક્ષતામાં એક ઈમરજન્સી મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા હાલ વાવાઝોડાને કારણે ઉભી થતી આપતકાલિન પરીસ્થિતિમાં સરકારના આદેશોનું પાલન કરાની સુચના અયાઇ છે જેમા ખાસ કરીને પેટ્રોલ-ડીઝલનો નિયમ મુજબ પર્યાપ્ત જથ્થો ફરજિયાત  રાખવો. સરકાર ની જરૂરિયાતના સંજોગોમાં માલનો પુરતો જથ્થો નહી હોવાને કારણે કાયદેસર ની કાર્યવાહી કરાશે, સલામતીના ભાગરુપે જ્યારે પવન કે વાવાઝોડા વખતે કોઈપણ કસ્ટમર અથવા કર્મચારીએ કેનોપી નીચે રહેવું નહી, સલામત જગ્યાએ રહેવું. અને વાવાઝોડા સમયે વેચાણ કરવું નહી અને મેઈન પાવર બંધ કરી દેવા માટે સુચના દેવાઇ છે.

બીપોરેજોય વાવાઝોડાના અનુસંધાને આપાતકાલીન પરિસ્થિતિ માં મોરબી જિલ્લા પેટ્રોલિયમ એસોસિયેશન પ્રમુખ વિનોદ નાથાભાઈ ડાભી એ હેલ્પલાઇન નંબર જાહેર કરેલ છે અને આપાતકાલીન સ્થિતી મા કોઈ પણ સરકારી વાહનો જેવા કે એમ્બ્યુલન્સ, ફાયર સફેટી વાહનો,યા અન્ય કોઈ પણ ઇમરજન્સી જરૂરિયાત વાહનો ને ડીઝલ ની જરૂરિયાત રેહસે તો ત્યાં ઓન સાઈટ ડીઝલ ની ડિલિવરી સરકારી નિયમ મુજબ કરી આપવા મા આવશે. જે હેલ્પ લાઇન નંબર આપેલ છે તેમા વિનોદ ડાભી 9825060535 અને મહેશ ડાભી 9727702814 ના નંબર આપેલ છે.






Latest News