મોરબી જિલ્લામાં વાવાઝોડાના પગલે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ
SHARE
મોરબી જિલ્લામાં વાવાઝોડાના પગલે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ
બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. ખાસ રાજ્યના દરિયાકાંઠાના નજીકના વિસ્તારમાં હાઈએલર્ટ આપી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા મોરબી જિલ્લામાં વિવિધ કચેરીઓના કંટ્રોલરૂમની યાદી જાહેર કરવામાં આવી છે. જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા ૨૪ કલાક કામગીરી થાય એ અર્થે અલગ અલગ ટીમો બનાવી કામગીરીની સોંપણી કરવામાં આવી છે.
જિલ્લાના દરેક ગામમાં આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે ખાસ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. સિંચાઈ વિભાગ દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવી છે. સાથે જ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓની તથા સરપંચઓની યાદી પણ તેમના કોન્ટેક નંબરોની સાથે જાહેર કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓના નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે જેથી લોકો મુશ્કેલી જણાય તો સીધો તેમનો પણ સંપર્ક કરી શકે છે સાથે જ એનડીઆરએફ તથા એસડીઆરએફના અધિકારીઓના પણ કોન્ટેક્ટ નંબર જાહેર કરવામાં આવ્યા છે.