હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેરના અદેપરમાં તારી દીકરીને કહી દેજે અમારી સામે ન જોવે તેવું કહીને આધેડને માર માર્યો


SHARE







વાંકાનેરના અદેપરમાં તારી દીકરીને કહી દેજે અમારી સામે ન જોવે તેવું કહીને આધેડને માર માર્યો

વાંકાનેર તાલુકાના અદેપર ગામે રહેતા આધેડને તારી દીકરીને કહી દેજે અમારી સામે ન જોવે તેવું કહીને બોલાચાલી કરી હતી અને ત્યારબાદ તેને લોખંડના પાઇપ વડે બે શખ્સો દ્વારા માથામાં અને બંને હાથમાં માર મારવામાં આવ્યો હતો અને ગાળો આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા આધેડ દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અદેપર ગામે રહેતાને ખેતી કામ કરતા ગોરધનભાઇ નરશીભાઇ બાવરવા જાતે કોળી (૫૫)એ હાલમાં સાગર શિવાભાઈ બાવરવા અને જીવણ મેરાભાઇ બાવરવા રહે બંને અદેપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓએ તેની પાસે આવીને તારી દીકરીને કહી દેજે અમારી સામે ન જોવે તેમ કહી બોલાચાલી કરી હતી અને ત્યારે સાગ બાવરવાએ લોખંડના પાઇપ પડે ગોરધનભાઈ બાવરવાને માથામાં અને બંને હાથે માર માર્યો હતો ત્યારે આરોપી જીવણ મેરામ બાવરવાએ તેને પકડી રાખ્યા હતા અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી જેથી કરીને ઈજા પામેલ વ્યક્તિને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ ગોરધનભાઇ નરશીભાઇ બાવરવાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ નવી ટીંબડી ગામે રહેતા સલીમભાઈ ઇસ્માઈલભાઈ ચૌહાણ નામના ૫૯ વર્ષના વૃદ્ધને મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એલીકા સિરામીકની પાસે મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.બાદમાં બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી હતી અને તેમાં ખુલ્યું હતું કે રીક્ષા ભાડા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો દરમિયાનમાં સલીમભાઈને મારમારી તેઓનો મોબાઇલ પાડી દેવામાં આવ્યો હતો અને આ સંદર્ભે તેઓને ઈજા થઈ હોય સારવાર માટે લવાયા હતા.






Latest News