મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ મોરબી તાલુકા પોલીસ લાઇનમાં રહેતો પોલીસ કોન્સ્ટેબલ ગુમ પોલીસની ઓસરતી ધાક ચિંતાનો વિષય : મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને યુવાન ઉપર લાકડી વડે હુમલો મોરબીના લાલપર ગામ નજીકથી સગીરાનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા કુપોષણ દૂર કરવા માટે અનોખો પ્રયાસ


SHARE













મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા કુપોષણ દૂર કરવા માટે અનોખો પ્રયાસ

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા કુપોષણ દૂર કરવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં સરગવાના પાનનો ઉપયોગ કરવાથી કુપોષણ સહિતના રોગમાથી મુક્તિ મેળવી શકાય છે જેથી કરીને વિવિધ વાનગીમાં સરગવાના પાનનો ઉપયોગ કરવામાં આવે તે માટે ખાસ કાર્યક્રમ યોજાયો હતો ઉલેખનીય છે કે, સરગવો ૩૦૦ જેટલા રોગમાં ઉપયોગી છે અને સરગવાના પાનમાં દૂધ કરતા ૧૪ ણો વધારે કેલ્શિયમ તથા પાલક કરતાં ૯ ગણો વધારે આર્યન હોય છે અને તેમાં ઘણું બધું પોષક તત્વો હોવાથી તેનો ઉપયોગ મહિલાઓ તથા બાળકો કરે તો શરીરના પોષણમાં મદદરૂપ થાય છે. આ પ્રોજેક્ટમાં ક્લબ મેમ્બર પ્રજ્ઞાબેન ગોસ્વામીએ સરગવાના પાનમાંથી સુખડી, સરગવાના થેપલા તેમજ સરગવાના મુઠીયા જેવી વાનગી પોતાના ઘરે બનાવીને આંગણવાડીના બહેનોને તેમજ ક્લબના હાજર રહેલા મેમ્બરોને ટેસ્ટ કરાવી હતી અને તેની સમજણ પૂરી પાડી હતી. સરગવો બધી જગ્યાએ મળે છે અને સહેલાઇથી મળી શકે છે કોઈપણ જાતના ખર્ચ વગર તમે શરીરની તંદુરસ્તી વધારવા માટે ઉપયોગ કરી શકો છો. આ પ્રોજેક્ટને સફળ બનાવવા ક્લબ પ્રમુખ પ્રીતિબેન દેસાઈ, સેક્રેટરી મયુરીબેન કોટેચા, વાઇસ પ્રેસિડન્ટ રંજનબેન સારડા, ટ્રેઝરર પુનિતાબેન છૈયા, પ્રજ્ઞાબેન ગોસ્વામી મનિષાબેન ગણાત્રા, ચેતનાબેન પાંચાલ, નિશાબેન રેખાબેન મોર તથા અન્ય સભ્યોએ હાજરી આપી હતી..




Latest News