હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પ્રેમ સંબંધનો ખાર રાખીને મારામારી: બંને પક્ષેથી નોંધી સામસામી ફરિયાદ


SHARE













વાંકાનેરમાં પ્રેમ સંબંધનો ખાર રાખીને મારામારી: બંને પક્ષેથી નોંધી સામસામી ફરિયાદ

વાંકાનેર શહેરના આરોગ્યનગર ચોક પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષેથી મારામારી કરવામાં આવી હતી જેથી ઈજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યારબાદ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે સામસામે ફરિયાદ નોંધને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં જવાસા રોડ એક્સિસ બેન્ક વાળી શેરીમાં રહેતા હરેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ વ્રજલાલ કારીયા જાતે લોહાણા (૪૮)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અમુભાઈ ઠાકરાણી, કેવલ ઠાકરાણી, સનીભાઈ ભરતભાઈ ઠાકરાણી, ચિરાગભાઈ અશોકભાઈ ઠાકરાણી અને શામજીભાઈ અશોકભાઈ ગોરીયા રહે. તમામ વાકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છેકે, તેની ભત્રીજી સાથે શામજીભાઈ અશોકભાઈ ગોરીયાને પ્રેમ સંબંધ હતો જે બાબતનું મન દુઃખ ચાલતું હોય આરોપીઓએ ફરિયાદી તથા તેની સાથે રહેલ વ્યક્તિને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારે શામજીભાઈએ ઢીકાપાટુનો મૂઢમાર મારીને ઇજા પણ કરી હતી જેથી ઈજા પામેલ હરેશભાઈએ સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે તો સામા પક્ષેથી શામજીભાઈ અશોકભાઈ ગોરીયા જાતે કોળી (૨૪) રહે વૃંદાવન વાટિકા સોસાયટી વાંકાનેર વાળાએ મુન્નાભાઈ કારીયા, દેવ મુન્નાભાઈ કારીયા જેનીસ કરિયા અને કાળી રહે. બધા વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપીઓએ કેમ કાતર મારો છો તેવું કહીને ગાળો આપી હતી અને લાકડી તથા ધોકા વડે પગમાં માર મારીને ઇજા કરી હતી જેથી ઈજા પામેલા યુવાને સારવાર લીધા બાદ ચાર શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા મારામારીના આ બનાવ સંદર્ભે પોલીસે બંને પક્ષેથી ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીક શરૂ કરેલ છે






Latest News