મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા: બમણી રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં આંગણવાડી અને આશા વર્કર બહેનોને ઓનલાઈન કામ માટે અધિકારીઓ તરફથી મળે છે ધમકી ! મોરબીમાં નાણાકીય સાક્ષરતા સપ્તાહ અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ; સાયબર ફ્રોડ અંગે લોકોને જાગૃત કરાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા ગામે ૨૯ પ્લોટ અને ખુલ્લી જમીન ઉપર ૪,૨૫૦ ચો.મી.માં દબાણ: સિરામિક કારખાનેદારને નોટિસ


SHARE













મોરબીના આંદરણા ગામે ૨૯ પ્લોટ અને ખુલ્લી જમીન ઉપર ,૨૫૦ ચો.મી.માં દબાણ: સિરામિક કારખાનેદારને નોટિસ

મોરબી તાલુકાના અંદરણા ગામે નાયબ કલેકટર અને સબ ડીવીજનલ મેજી. મોરબીના હુકમ મુજબ સને ૨૦૧૭ માં સર્વે નંબર ૭૦/૨ પૈકી માં નવું ગામતળ નીમ કરવામાં આવેલ છે જેમાં તાલુકા વિકાસ અધિકારી મોરબી દ્વારા તા.૪-૧૦-૨૦૧૯ ના લે-આઉટ બનાવી ૭૪ પ્લોટો પાડેલ હતા અને SECC ડેટામાં નામ ધરાવતા PMAYના ૬ (છ) લાભાર્થીઓ જેમાં જામરિયા ચંદુલાલ ડાયાભાઇ, ચિરોડીયા જીલુભાઈ રેવાભાઈ, ચંદ્રેસરા અશોકભાઈ રામજીભાઈ, બાંભવા કાળુભાઈ વાસાભાઈ, પરમાર પ્રવિણભાઈ ભોજાભાઈ અને બાંભવા ધનીબેન દાનાભાઈને તા.૨૧-૯-૨૦૨૨ ની તાલુકા પંચાયત મોરબીની લેન્ડ કમિટીમાં પ્લોટો મંજુર કરવા માટે વંચાણે લીધા હતા.

જે પૈકી બાંભવા ધનીબેન દાનાભાઈ વડીલોપાર્જિત પ્લોટ ધરાવતા હોવાથી તેઓનો પ્લોટ નામંજુર કરી બાકીના ૫ (પાંચના પ્લોટ લેન્ડ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે અને તા.૧૮-૧૦-૨૦૨૨ ના રોજ તમામ લાભાર્થીઓને સનદ આપવામાં આવેલ તથા તા.૧૯-૧૨-૨૦૨૨ ના રોજ પ્લોટોના કબ્જા સોપેલ છે અને ચિરોડીયા જીલુભાઈ રેવાભાઈ PMAY યોજના અંતર્ગત પ્રથમ હપ્તાની રકમ ૩૦,૦૦૦ તા. ૧-૩-૨૦૨૩ના રોજ તથા બાકીના ૫ (પાંચ) લાભાર્થીઓને પ્રથમ હપ્તાની રકમ ૩૦,૦૦૦ તા.૨૪-૨-૨૦૨૩ ના રોજ ૬ (છ) એ લાર્ભાથીઓના બચત ખાતામાં જમા કરવામાં આવેલ છે ત્યારબાદ સ્થળ તપાસ કરાવતા જામરિયા ચંદુલાલ ડાયાભાઇ અને ચંદ્રેસરા અશોકભાઈ રામજીભાઈને ફાળવેલ પ્લોટ નંબર અનુક્રમે ૬૭ અને ૬૮ માં સેલોજા સેનેટરી વેર દ્વારા લેબર ક્વાર્ટર બનાવી દબાણ થયાનું ડીડીઓ દિગ્વિજયસિંહ ડી.જાડેજાના ધ્યાને આવ્યું હતુ જેથી ટીડીઓ દીપાબેન એચ. કોટકને ગ્રામ પંચાયત દ્વારા દબાણ દુર કરવાની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી ત્યારે ગ્રામ પંચાયત દ્વારા તા.૨૫-૭-૨૦૨૩ના રોજ સરપંચ આંદરણા દ્વારા સેલોજા સેનેટરી વેરને તાત્કાલિક ધોરણે દિવસ-૭ માં દબાણ દુર કરવા નોટીસ આપવામાં આવેલ છે. અને સેલોજા સેનેટરી વેર દ્વારા આ બંને પ્લોટો સિવાય અન્ય પ્લોટો મળી કુલ ૨૯ પ્લોટોમાં તથા ખુલ્લી જગ્યામાં અંદાજીત કુલ ૪,૨૫૦ ચો.મી.માં દબાણ થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડેલ છે. જો સેલોજા સેનેટરી વેર દ્વારા આ દબાણ દુર કરવામાં નહી આવે તો નિયમોનુસાર કાર્યવાહી કરી દબાણ કરેલા પાકા બાંધકામો તોડી પાડવા સહિતના પગલા લેવામાં આવશે.






Latest News