મોરબીમાં કોવિડમાં લીધેલ સારવારનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો ચુકાદો
મોરબી-પ્રભુનગરમાં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ
SHARE
મોરબી-પ્રભુનગરમાં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ
સૌરાષ્ટ્રના ખેડૂત નેતા અને સહકારી ક્ષેત્રના અગ્રણી પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની ચોથી વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે જુદીજુદી જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પના આયોજન કરવામાં આવી છે ત્યારે આગામી તા. ૨૯ જુલાઈ ને શનિવારના રોજ મોરબી તાલુકા અને ટંકારા તાલુકામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી જીલ્લામાં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પૂણ્યતિથિ નિમિત્તે ૨૯ જુલાઈ ને શનિવારના રોજ સવારે ૭:૩૦ થી ૧૨ વાગ્યા સુધી સર્વ જ્ઞાતિય અને સહકારી પરિવાર- મોરબી દ્વારા મોરબીના માર્કેટિંગ યાર્ડ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેવી જ રીતે સર્વ જ્ઞાતિય અને સહકારી પરિવાર- ટંકારા તાલુકા દ્વારા પ્રભુનગરના નેકનામ રોડ (મિતાણા) પર આવેલી બહુચર વિદ્યાલય ખાતે સવારે ૭:૩૦ થી ૧૨ વાગ્યા સુધી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરવા માટે સર્વ જ્ઞાતિય અને સહકારી પરિવાર દ્વારા અપીલ કરાઇ છે









