મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીના બગથળા, જૂના ઘાટીલા અને આદેપરમાં જન્માષ્ટમીએ શોભાયાત્રા, મટકી ફોડ અને રસ ગરબાનું આયોજન


SHARE













મોરબીના બગથળા, જૂના ઘાટીલા અને આદેપરમાં જન્માષ્ટમીએ શોભાયાત્રા, મટકી ફોડ અને રસ ગરબાનું આયોજન

મોરબી તાલુકાના બગથળા ગામે અને જૂના ઘાટીલા ગામે જન્માષ્ટમીના દિવસે ભવ્ય શોભાયાત્રાના આયોજન કરવામાં આવેલ છે તેની સાથોસાથ મટકી ફોડ અને રસ ગરબા પણ રાખવામા આવેલ છે જેથી કરીને આયોજકો દ્વારા લોકોને તેનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

મોરબી તાલુકાનાં બગથળા ગામે જય ગોપાલ ગ્રુપ ભરવાડ સમાજ દ્વારા જન્માષ્ટમીના દિવસે રાત્રે ૯ કલાકે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શોભાયાત્રા નકલંક મંદિરેથી નીકળીને નિશાળના ચોકમાં આવશે અને દામજી ભગતની હાજરીમાં ઠાકરને તેડીને ચોકમાં ડીજેના તાલે રાસ-ગરબા રમાડવામાં આવશે. ત્યારબાદ ભવ્ય આરતી કરવામાં આવશે અને રાત્રે ૧૨ કલાકે મટકી ફોડ કરવામાં આવશે જેથી કરીને ધર્મપ્રેમી જનતાને કાર્યક્રમ માણવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે

આગામી જન્માષ્ટમીની ઠેરઠેર ઉજવણી કરવા માટેના આયોજનો કરવામાં આવી રહ્યા છે ત્યારે જૂના ઘાટીલા ગામે યુવા ગ્રૂપ દ્વારા ગામમાં ભવ્ય શોભાયાત્રા અને મટકીફોડનું બેન્ડ વાજા સાથે આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ હતું કે, જૂના ઘાટીલા યુવા ગ્રુપ દ્વારા શોભાયાત્રા બપોરે બે વાગ્યે શરૂ કરવામાં આવશે અને સાંજે છ વાગ્યા સુધી આખા ગામમાં ફરશે અને આ શોભાયત્રામાં અનેક જગ્યાએ મટકીફોડ કરવામાં આવશે તેમજ રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે

 

મોરબીના અદેપર ગામે જન્માષ્ટમી નિમિતે જુના રીતરિવાજ પ્રમાણે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અત્રે ઉલેખનીય છે કે,  છેલ્લા 35 વર્ષથી આ રીતે આયોજન કરવામાં આવેલ છે ત્યારે આ વર્ષે મટકી ફોડના કાર્યક્રમને પણ રાખવામા આવેલ છે જેથી કરીને શોભાયાત્રા અને મટકીફોડમાં ગામના ધર્મપ્રેમી લોકોને જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે 






Latest News