મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

પ્રમાણિકતા: મોરબીમાં ઓમશાંતિ વિદ્યાલયના સ્ટાફે રોકડા છ લાખ મૂળ માલિકને પરત કર્યા


SHARE











પ્રમાણિકતા: મોરબીમાં ઓમશાંતિ વિદ્યાલયના સ્ટાફે રોકડા છ લાખ મૂળ માલિકને પરત કર્યા

કર ભલા તો હોગા ભલા વાક્યને ઈશ્વરે મહોર મારી સત્ય સાબિત કરતો કિસ્સો મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઓમ શાંતિ વિદ્યાલયમાં ગત શનિવાર તા ૨૫ ના રોજ બનેલ હતો જેમાં ઓફિસમાં સિનિયર ક્લાર્ક દવે દિવ્યેશભાઈ કૃષ્ણકાંતના ટેબલ આગળ એક થેલો પડ્યો હતો જે ખોલીને જોતાં તેમાં મોટી રકમ  હતી માટે કોણ ભૂલી ગયું? તે પ્રશ્ન હતો કેમ કે, શાળાની મુલાકાતે ઘણા વાલી આવેલ હતા

જેથી સ્ટાફની સૂઝબૂઝથી મૂળ માલિક શોધી લેવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા અને  કિશનભાઇ કે, જેઓ સેવાભાવી વ્યક્તિ છે અને શાળાએ એક વિદ્યાર્થિનીએ ફી ભરવા માટેના સેવાના કાર્ય માટે આવેલ હતા તેઓ ઓમશાંતિ વિદ્યાલયમાં જ રોકડ ભરેલો થેલો ભૂલી ગયા હતા પરંતુ જેમના હૃદયમાં “વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે” પંક્તિ અંકિત થયેલ હોય તેના પર ઈશ્વરની મહેર હોય તે સાબિત થયું છે અને ઓમશાંતિ વિદ્યાલયના સ્ટાફ દ્વારા તેઓનો રોકડ રકમ ભરેલો થેલો તેઓને પરત આપી દેવામાં આવેલ છે જેથી ઉપાધ્યાય કિશનભાઇ ઓમશાંતિ વિદ્યાલયના સ્ટાફ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરેલ હતી 






Latest News