મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નજીવી વાતે યુવાની હત્યા, ત્રણને ઈજા


SHARE













મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નજીવી વાતે યુવાની હત્યા, ત્રણને ઈજા

મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપની સામે આવેલા ભીમસર વિસ્તારમાં નજીવી વાતે બોલાચાલી થયા બાદ યુવાનની છરીના ઘા મારીને નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે અને આ બનાવમાં અન્ય ત્રણ લોકોને પણ ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળેલ છે.પ્રાથમિક ધોરણે મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાન પોતાના ફઈબાના ઘરે ભીમસર વિસ્તારમાં ગયો હતો અને ત્યાં તેઓની કૌટુંબીક બહેન પણ સાસરે હોય તેણીના ઘરે ઝઘડો થયો હતો અને ત્યાં મૃતક વચ્ચે સમજાવવા માટે ગયો હતો.ત્યારે ઝઘડો થવાથી તે બનાવમાં સામાપક્ષેથી કરાયેલ છરી વડેના હુમલામાં યુવાનનું મોત નીપજ્યું હતું.

ઉપરોક્ત બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપની સામે આવેલ ભીમસર વિસ્તારમાં ઉપરોકત મર્ડરનો બનાવ સામે આવ્યો છે.જેમાં મોરબીના જેલ ચોક સામેના વિસ્તારમાં રહેતા રવિભાઇ જશુભાઈ ઝાલા નામના ૩૨ વર્ષીય યુવાનની હત્યા થઇ હોવાના સમાચાર મળી રહ્યા છે.જ્યારે આ બનાવની અંદર લલિત કેસાભાઇ ઉર્ફે જેઠાભાઈ વાઘેલા (૪૫), કેશાભાઈ ટપુભાઈ વાઘેલા (ઉંમર ૬૨) અને મંજુબેન કેશાભાઈ વાઘેલા (ઉમર ૬૦) રહે.ત્રણેય ભીમસર વાળાઓને પણ ઇજાઓ થવાથી ત્રણેયને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા છે.

વધુમાં હોસ્પિટલ ખાતે એકત્રી થયેલા લોકો તથા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક રવિ ઝાલાના ફઈબા સામાકાંઠે ભીમસર વિસ્તારમાં રહેતા હોય તે ત્યાં ગયો હતો અને તે પરિવારમાં જ મૃતકના ભાઈજીની દીકરી સાસરે હોય ત્યાં ઝઘડો થયો હતો ત્યારે મૃતક રવિ જશુભાઈ ઝાલા ત્યાં સમજાવવા માટે ગયો હતો.તે દરમિયાન ત્યાં થયેલ ઝઘડામાં છરી વડે પડખાના ભાગે કરવામાં આવેલા ઘા પૈકી એક ઘા જીવલેણ સાબિત થયો હતો અને રવિ ઝાલા નામના યુવાનનું મોત નિપજયુ હતુ.બનાવના સંદર્ભે મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ દેકાવાડીયા તથા સ્ટાફ અને એલસીબી સહિતનો સ્ટાફ હોસ્પિટલે અને ઘટના સ્થળે પહોંચી ગયો હતો.બનાવ સંદર્ભે ફરિયાદ લેવાની અને આરોપીઓને પકડવાની તજવીજ પોલીસ દ્વારા શરૂ કરાયેલ છે.






Latest News