મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિધાલય શાળામાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં શિક્ષકદિન ઉજવાયો


SHARE













મોરબીની ભારતી વિધાલય શાળામાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં શિક્ષકદિન ઉજવાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ભારતી વિદ્યાલય શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં કેજી થી ધો ૧૨ ના વિદ્યાર્થીઓએ જ એક દિવસીય શિક્ષક તરીકેની ભૂમિકા ભજવેલ હતી અને શાળાના કુલ ૧૨૦ થી વધુ વિદ્યાર્થીઓએ આ દિવસને યાદગાર બનાવવા ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી હતી અને શાળાના સવાર પાળીના આચાર્યા તરીકે પરમાર દીપાન્સી જ્યંતિભાઈ (ધો. ૯) અને બપોરપાળીના આચાર્યા તરીકે જાડેજા પ્રિયંકા અનિરુદ્ધસિંહ (ધો. ૧૨) એ એક દિવસ માટે જવાબદારી નિભાવી અને સમગ્ર શાળા અને શિક્ષકો સાથે સંકલન સાથે શિક્ષક દિવસની ઉજવણી કરેલ હતી  અંતમાં શાળાના એક દિવસીય આચાર્ય દ્વારા ભાગ લેતા દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપેલ તેમજ શાળા સંચાલક કૌશલભાઈ મહેતા અને વિવેકભાઈ મહેતાએ વિદ્યાર્થીઓને શા માટે સમાજને શિક્ષકની જરૂર છે ? વિશે માહિતી આપવામાં આવી હતી અને શાળાના પ્રમુખ હિતેશભાઈ મહેતાએ ભાગ લેતા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા






Latest News