મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ નજીક ટ્રક ચાલકે હડફેટે લેતા સગીર સહિત બેનાં મોત: એકને ઇજા


SHARE













મોરબીના ઉંચી માંડલ નજીક ટ્રક ચાલકે હડફેટે લેતા સગીર સહિત બેનાં મોત: એકને ઇજા

મોરબીના ઉંચી માંડલથી તળાવિયા શનાળા જવાના રસ્તે રસ્તો ઓળંગી રહેલા ત્રણ યુવાનોને ટ્રક ચાલકે હડફેટે લેતા એક સગીર સહિત બે વ્યક્તિને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને એક ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવેલ છે

જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે રહેતા સુનિલ લાખાભાઈ પરસાડીયા (૧૯), નયન રાજેશભાઈ લાંબરીયા (૧૪) અને કરણ ભરતભાઈ લાંબરીયા (૧૫) બાઇક લઈને જતાં હતા ત્યારે બાઈકમાં પંચર પડતા પંચર રીપેર કરાવી ત્રણેય રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે ટ્રક જીજે ૧૨ એયુ ૮૪૨૭ ના ચાલકે તેને હડફેટે લીધા હતા ત્યારે સુનિલ લાખાભાઈ પરસાડીયા (૧૯) અને નયન રાજેશભાઈ લાંબરીયા (૧૪) નું મોત નીપજ્યું હતું. જો કે, કરણ ભરતભાઈ લાંબરીયાને ઈજા થઈ હોવાથી તેને મોરબી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા અત્રે ઉલ્લખનીય છે કે, મૃતક બન્ને મિત્ર હતા અને સગીર સહિત બે વ્યક્તિના મોત નિપજ્યાં છે જેથી કરીને તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને મૃતકના પરિવારજનમાંથી ફરિયાદ લેવા માટેની તજવીજ ચાલી રહી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ બીટ જમાદાર જે.પી. પટેલ દ્વારા કરવામાં આવી છે






Latest News