મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા
Breaking news
Morbi Today

ગણેશોત્સવને પણ મોંઘવારીનું ગ્રહણ: મોરબીમાં ગણેશજીની મૂર્તિ પાછળના બજેટ ઘટ્યા !, કાલકારો મૂંઝવણમાં


SHARE













ગણેશોત્સવને પણ મોંઘવારીનું ગ્રહણ: મોરબીમાં ગણેશજીની મૂર્તિ પાછળના બજેટ ઘટ્યા !કાલકારો મૂંઝવણમાં

ગણેશોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મોરબીના જુદા જુદા વિસ્તારમાં ગણપતિની મૂર્તિ બનાવતા કારીગરો દ્વારા મૂર્તિ તૈયાર કરવામાં આવી રહી છે અને તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જોકે ગત વર્ષની સરખામણીએ આ વખતે મૂર્તિકારોને મૂર્તિ બનાવવા માટે થઈને માલ સામાન મોંઘો પડી રહ્યો હોવાથી મૂર્તિઓની કિંમત વધે તેવી શક્યતા છે જોકે અગાઉ જે લોકો મોટી અને મોંઘી મૂર્તિ લઈ જતા હતા તે લોકો પણ હવે મોંઘવારીના કારણે ઓછા બજેટની મૂર્તિ લઈ જવાનું ઈચ્છા હોય છે

શ્રાવણ મહિનો પૂરો થતાની સાથે જ હવે ગણેશોત્સવની તૈયારીઓ આયોજકો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક જગ્યાએ ગણેશ મહોત્સવના આયોજન કરવામાં આવનાર છે જેમાં શેરી ગલીના નાના આયોજનથી લઈને મોટા શહેરીની જેમ મોટામોટા પંડાલોમાં ગણેશ મહોત્સવના આયોજન કરવામાં આવશે અને ભક્તો દ્વારા ગણેશજીનું સ્થાપન કરીને તેનું શ્રદ્ધા પૂર્વક પૂજા, અર્ચના કરવામા આવશે તેમજ જુદાજુદા આયોજનો પણ કરવામાં આવશે જો કે, દર વર્ષની જેમ આ આ વર્ષે પણ બહારથી ઘણા કારીગરો મોરબીમાં આવ્યા  છે અને જુદાજુદા વિસ્તારમાં ગણપતિની મૂર્તિઓ બનાવી રહ્યા છે

જો કે, ગણપતિની મૂર્તિઓ બનાવવા માટે જે મટિરિયલ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો તેના ભાવમાં ચાલુ વર્ષે વધારો થઈ ગયેલ છે જેથી કરીને સ્વાભાવિક રીતે મૂર્તિની કિંમતમાં વધારો થાય તે સમજી શકાય તેમ છે જો કે, મૂર્તિ લેવા માટે આવતા ગ્રાહકો દ્વારા ગત વર્ષે જે બજેટ મૂર્તિ માટે આપવામાં આવતું હતું જેની સરખામણી ચાલુ વર્ષે ઓછા બજેટની મૂર્તિઑ માંગવામાં આવી રહી છે ત્યારે કલાકારોની મૂંઝવણમાં વધારો થઈ ગયેલ છે વધુમાં મળતી માહિતી મુજબ આજની તારીખે મોરબીમાં એક ફૂટથી લઈને આઠ ફૂટ સુધીની મૂર્તિઓ બજારમાં જોવા મળી રહી છે અને તેની કિંમત ૨૫૦ રુપિયથી લઈને ૧૫ હજાર સુધીની છે ખાસ કરીને આ વર્ષે ગણેશજીની મૂર્તિઓમાં ભગવાન વિષ્ણુશેષનાગ અવતાર વિગેરે જેવી મૂર્તિ જોવા મળી રહી છે તેની સાથોસાથ ઇકોફ્રેન્ડલી મૂર્તિઓની પણ માંગ જોવા મળી રહી છે જો કે, ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ ઘણી વખત ખંડિત થતી હોવાનું જોવા મળે છે જેથી કરીને ના છૂટકે પીઓપીની મૂર્તિ લેવી પડે છે






Latest News