ગણેશોત્સવને પણ મોંઘવારીનું ગ્રહણ: મોરબીમાં ગણેશજીની મૂર્તિ પાછળના બજેટ ઘટ્યા !, કાલકારો મૂંઝવણમાં
મોરબીમાં સિદ્ધિવિનાયક કા રાજા, પટેલ ગ્રુપ સહિતના ગણેશોત્સવનું આયોજન
SHARE
મોરબીમાં સિદ્ધિવિનાયક કા રાજા, પટેલ ગ્રુપ સહિતના ગણેશોત્સવનું આયોજન
મોરબીમાં લિલાપર કેનાલ રોડ ઉપર આવેલ રામોજી ફાર્મ ખાતે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સિદ્ધિવિનાયક કા રાજા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને અને આગામી તા ૧૯ ના દિવસે સ્થાપના કરવામાં આવશે અને દરરોજ સાંજે ૭ કલાકે મહાઆરતીનું પણ આયોજન કરાયું છે અને વિસર્જન તા ૨૮ ના રોજ સાંજે કરવામાં આવશે જેથી મોરબીના લોકોને ગણેશજીના દર્શન અને પૂજનનો લાભ લેવા માટે ગણેશ મહોત્સવના આયોજક અરવિંદભાઈ બારૈયાએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.
મોરબીમાં લિલાપર કેનાલ રોડ ઉપર સર્જનમ ફાર્મ ખાતે પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે ગણેશજીની સ્થાપના તા. ૧૯ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે અને દરરોજ સાંજે ૭ કલાકે મહાઆરતીનું પણ આયોજન કરાયું છે ત્યાર બાદ તા ૨૮ ના રોજ વિસર્જન કરવામાં આવશે જેથી દાદાના દર્શન અને પૂજનનો લાભ લેવા માટે ગણેશ મહોત્સવના આયોજકો તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે