કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું મોરબીમાં નાની કેનાલ રોડ અને રવાપર ગામે જુદીજુદી જગ્યાએ જુગારની 2 રેડમાં 9 મહિલા સહિત કુલ 19 લોકો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં સિદ્ધિવિનાયક કા રાજા, પટેલ ગ્રુપ સહિતના ગણેશોત્સવનું આયોજન


SHARE







મોરબીમાં સિદ્ધિવિનાયક કા રાજા, પટેલ ગ્રુપ સહિતના ગણેશોત્સવનું આયોજન

મોરબીમાં લિલાપર કેનાલ રોડ ઉપર આવેલ રામોજી ફાર્મ ખાતે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સિદ્ધિવિનાયક કા રાજા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને અને આગામી તા ૧૯ ના દિવસે સ્થાપના કરવામાં આવશે અને દરરોજ સાંજે ૭ કલાકે મહાઆરતીનું પણ આયોજન કરાયું છે અને વિસર્જન તા ૨૮ ના રોજ સાંજે કરવામાં આવશે જેથી મોરબીના લોકોને ગણેશજીના દર્શન અને પૂજનનો લાભ લેવા માટે ગણેશ મહોત્સવના આયોજક અરવિંદભાઈ બારૈયાએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

મોરબીમાં લિલાપર કેનાલ રોડ ઉપર સર્જનમ ફાર્મ ખાતે પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે ગણેશજીની સ્થાપના તા. ૧૯ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે અને દરરોજ સાંજે ૭ કલાકે મહાઆરતીનું પણ આયોજન કરાયું છે ત્યાર બાદ તા ૨૮ ના રોજ વિસર્જન કરવામાં આવશે જેથી દાદાના દર્શન અને પૂજનનો લાભ લેવા માટે ગણેશ મહોત્સવના આયોજકો તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે




Latest News