મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા ટુ અને ફોર-વ્હિલર તથા ટ્રાન્સપોર્ટ વાહનોના પસંદગીના નંબર માટે ઓનલાઇન હરાજી કરાશે તેરા તુજ કો અર્પણ: ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે ઘરમાંથી ચોરી કરવામાં આવેલ સોના-ચાંદીની વસ્તુઓ અને રોકડ સહિત 26.04 લાખનો મુદામાલ મૂળ માલિકને સુપ્રત કર્યો મોરબી જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે તૂટી પડો: રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની એસપી સહિતના અધિકારીઓને સ્પષ્ટ સૂચના અધ્યયન મંડળ મોરબી દ્વારા આવતા ગુરુવારે બૌદ્ધિક કાર્યશાળા મોરબીમાં  મહિલા દિવસ નિમિતે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકેલ કેમ્પ યોજાયો મોરબી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ-ફાયરની ટીમ દોડી આવી મોરબીમાં છેલ્લા 3 દિવસમાં પ્રોપેન ગેસ આધારિત વધુ 70 કારખાના બંધ, ઈરાન-ઇઝરાયલના યુધ્ધ પછી કુલ 170 સિરામિક કારખાના બંધ થયા મોરબીની રવિરાજ ચોકડીના પુલ ઉપર આગળ જતા વાહનની પાછળ ક્રેટા ગાડી અથડાતા માથા અને શરીરે ઇજા થતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના વિનયગઢમાં ઘર પાસે ઝેરી જનાવર કરડી જતાં બાળકીનું મોત


SHARE













વાંકાનેરના વિનયગઢમાં ઘર પાસે ઝેરી જનાવર કરડી જતાં બાળકીનું મોત

વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે રહેતા પરિવારનીની દીકરી તેના ઘર પાસે રમતી હતી ત્યારે તેને કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેને અસર થઈ હોવાથી સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ડોક્ટરે તે દીકરીને મૃત જાહેર કરી હતી અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધા કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે રહેતા ભાવેશભાઈ મકવાણાની ૧૩ વર્ષની દીકરી કિંજલબેન પોતાના ઘર પાસે રમી રહી હતી ત્યારે કોઈ ઝેરી જનાવર તેને કરડી ગયું હતું જેથી કરીને ઝેરી અસર થતાં તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા તેને જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી અને ત્યારબાદ આ બનાવની વાંકાનેરની સરકારી હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવ નોંધા કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળ વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના વાવડી ગામ પાસે આવેલ સંત કબીર સોસાયટીમાં સંજુબા સ્કૂલ પાસે રહેતા અગ્રાવત જય બજરંગદાસ (૧૯) નામના યુવાનને નાયરાના પેટ્રોલ પંપ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે




Latest News