મોરબીના આમરણ રોડે સર્જાયેલા અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું મોત
મોરબીમાં કોઇની સાથે પ્રેમ સબંધ હોય મોડી રાત સુધી ફોનમાં વાત કરતી ભત્રીજી પાસેથી ફુવાએ મોબાઈલ લઈ લેતા જીવન ટૂંકાવ્યું
SHARE
મોરબીમાં કોઇની સાથે પ્રેમ સબંધ હોય મોડી રાત સુધી ફોનમાં વાત કરતી ભત્રીજી પાસેથી ફુવાએ મોબાઈલ લઈ લેતા જીવન ટૂંકાવ્યું
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા જાંબુડિયા ગામ પાસે સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની યુવતીને કોઈ સાથે પ્રેમ સંબંધ હોય મોબાઈલ ફોન ઉપર સતત વાતો કરતી હતી જેથી કરીને તેની પાસેથી તેનો મોબાઇલ તેના ફુવાએ લઈ લીધો હતો અને તેના પિતાને આ અંગેની જાણ કરી હતી જેથી કરીને તે યુવતીને લાગી આવતા તેણે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા જાંબુડીયા ગામ પાસે કોમેન્ટ સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા પૂજાબેન નાજુભાઈ નીનામા (૧૯) નામની યુવતીએ લેબર ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તાનસિંગભાઈ સુખાભાઈ ભાભોર મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં આ બનાવની આગળની તપાસ કરતા હેડ કોન્સ્ટેબલ એ.એમ. જાપડીયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મૃતક યુવતીને કોઈ સાથે પ્રેમ સંબંધ હોય તે ફોન ઉપર મોડી રાત સુધી વાતો કરતી હતી જેથી કરીને તેનો મોબાઈલ ફોન તેના ફુવાએ લઈ લીધો હતો અને યુવતીના માતા-પિતા તેઓના વતનમાં ગયા હોય તેને આ અંગેની તેના દ્વારા જાણ કરવામાં આવી હતી જેથી કરીને યુવતીને માતા પિતા તેને લેવા માટે આવવાના હતા દરમિયાન આ યુવતીએ અંતિમ પગલું ભરી લીધેલ છે તેવું તેઓના પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે