તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલા આઈ.ટી.આઈ. ખાતે સોમવારે ભરતી મેળો


SHARE











મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલા આઈ.ટી.આઈ. ખાતે સોમવારે ભરતી મેળો

 શ્રમ અને રોજગાર વિભાગનિયામક રોજગાર અને તાલીમ હેઠળની સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ) મોરબી ખાતે તા ૦૪/૧૦ ના રોજ સવારે ૯:૩૦ વાગ્યે રાજ્યમાં કાર્યરત મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત જિલ્લાના યુવાનોને રોજગારી મળે તેમજ ઉધોગોને કુશળ મેનપાવર મળી રહે તેવા હેતુ સાથે જિલ્લા કક્ષાના એપ્રેન્ટીસ ભરતી મેળાનુ આયોજન કરવામાં આવેલ છે.

 મોરબી ખાતે જે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મોરબી જિલ્લા સ્થિત ઔધોગીક એકમો, હોસ્પીટલો તથા મેરીટાઇમ બોર્ડ (નવલખી પોર્ટ) વગેરે મળી કુલ ૨૧ નોકરી દાતાઓ હાજર રહેનાર છે. તેમજ આશરે ૧૪૬ એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવાની છે. જેથી કરીને જે ઉમેદવાર આ ભરતી મેળાનો લાભ લેવા ઇચ્છતા હોય તેઓને મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલા આઈ.ટી.આઈ. ખાતે તા 0૪/૧૦ ના રોજ સવારે ૯:૩૦થી ૧૬:૦૦ સુધીમાં આવી જવાનું રહેશે અને આ ભરતી મેળા માટે વધુ જાણકારી જોઈતી હોય તો મો ૯૯૭૯૩ ૮૩૨૮૮ અને ૭૦૧૬૬ ૩૯૪૫૧ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે 






Latest News