મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલા આઈ.ટી.આઈ. ખાતે સોમવારે ભરતી મેળો


SHARE







મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલા આઈ.ટી.આઈ. ખાતે સોમવારે ભરતી મેળો

 શ્રમ અને રોજગાર વિભાગનિયામક રોજગાર અને તાલીમ હેઠળની સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ) મોરબી ખાતે તા ૦૪/૧૦ ના રોજ સવારે ૯:૩૦ વાગ્યે રાજ્યમાં કાર્યરત મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત જિલ્લાના યુવાનોને રોજગારી મળે તેમજ ઉધોગોને કુશળ મેનપાવર મળી રહે તેવા હેતુ સાથે જિલ્લા કક્ષાના એપ્રેન્ટીસ ભરતી મેળાનુ આયોજન કરવામાં આવેલ છે.

 મોરબી ખાતે જે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મોરબી જિલ્લા સ્થિત ઔધોગીક એકમો, હોસ્પીટલો તથા મેરીટાઇમ બોર્ડ (નવલખી પોર્ટ) વગેરે મળી કુલ ૨૧ નોકરી દાતાઓ હાજર રહેનાર છે. તેમજ આશરે ૧૪૬ એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવાની છે. જેથી કરીને જે ઉમેદવાર આ ભરતી મેળાનો લાભ લેવા ઇચ્છતા હોય તેઓને મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલા આઈ.ટી.આઈ. ખાતે તા 0૪/૧૦ ના રોજ સવારે ૯:૩૦થી ૧૬:૦૦ સુધીમાં આવી જવાનું રહેશે અને આ ભરતી મેળા માટે વધુ જાણકારી જોઈતી હોય તો મો ૯૯૭૯૩ ૮૩૨૮૮ અને ૭૦૧૬૬ ૩૯૪૫૧ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે 






Latest News