મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે પાટીદાર નવરાત્રીના આયોજનને રોક લાગશે તો લડતની ચીમકી: સોસાયટીના લોકો જ આમને સામને !


SHARE













મોરબીના રવાપર ગામે પાટીદાર નવરાત્રીના આયોજનને રોક લાગશે તો લડતની ચીમકી: સોસાયટીના લોકો જ આમને સામને !

મોરબીના રવાપર ગામે શક્તિ ટાઉનશીપ પાસે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે જેના વિરોધમાં થોડા દિવસો પહેલા સ્થાનિક લોકોએ આવેદનપત્ર આપ્યું હતું ત્યારે બાદ ગામના સરપંચ સહિતના સ્થાનિક લોકોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે અને જો નવરાત્રીના આયોજન ઉપર રોક લાગશે તો લડત શરૂ કરાશે તેવી ચીમકી ઉચ્ચારી છે આમ નવરાત્રીના આયોજન માટે હાલમાં સોસાયટીના લોકો સામસામે આવી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે

મોરબીમાં રવાપર ગામે આવેલ શક્તિ ટાઉનશિપ અને રવાપર રેસિડેન્સીની વચ્ચેના ગ્રાઉન્ડમાં સેવા   સંપત્તિ ટ્રસ્ટ દ્વારા પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે  જેની સામે વિરોધ વ્યક્ત કરીને સ્થાનિક લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ુદી ુદી સોસાયટીઓના લોકો તેમજ ૨૫ ેટલા બહુમાળી બાંધકામોમાં રહેતા લોકોમાં પ્રેગનેટ મહિલાબાળકોવૃદ્ધો સહિતનાઓને હાલાકીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે તેવી કહીને નવરાત્રિના આયોજનને અન્ય સ્થળે ખસેડવામાં આવે તેવી માંગ કરી હતી દરમ્યાન ગામના સરપંચ નિતિનભાઈ પટેલ તેમજ શક્તિ ટાઉનશિપમાં રહેતા બીજા લોકોની સહી સાથે બીજું આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, અગાઉ આપેલા આવેદનપત્રમાં ઘણા સ્થાનિકોની સહમતિ નથી. અને દર વર્ષે આયોજન કરવામાં આવે છે તો આ વર્ષે જ કેમ વાંધો લેવામાં આવેલ છે તેવો સવાલ પણ કરવામાં આવેલ છે અને જો રાજકીય રાગદ્વેસથી નવરાત્રીના આયોજન ઉપર રોક લગાવવામાં આવશે. તો હિન્દુ સંગઠનોને સાથે રાખીને કાયદાકીય લડત કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે જેથી નવરાત્રીના આયોજનને લઈને હાલમાં સોસાયટીના લોકો જ સામસામે આવી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે






Latest News