મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રીએ પુલીયા સાથે કાર અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત: ત્રણને ઇજા


SHARE













વાંકાનેર બાઉન્ડ્રીએ પુલીયા સાથે કાર અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત: ત્રણને ઇજા

વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ ઓનેસ્ટ હોટલની સામેના ભાગમાં પુલીયા સાથે થોડા સમય પહેલા કાર અથડાઈ હતી અને ત્યારે કાર ચાલક સહિત કારમાં બેઠેલા ચાર વ્યક્તિને ઇજા થયેલ હતી જેથી કરીને હાલમાં ઇજા પામેલા વ્યક્તિના પત્નીએ કારના ચાલકની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે અરવલ્લી જિલ્લાના મોડાસામાં માણેકવા સોસાયટી સ્વામિનારાયણ મંદિરની બાજુમાં રહેતા વર્ષાબેન હિતેશભાઈ પટેલ (૫૭) નામના મહિલાએ હાલમાં કાર નંબર જીજે ૭ ડીએ ૫૪૯૯ ના ચાલક અલ્પેશભાઈ રમણભાઈ પટેલ રહે. હાલ સુરત પીપલોદ રોડ મૂળ રહે. નવાગામ તાલુકો કપડવંજ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. ૨૯/૯/૨૦૨૩ ના રાતના દોઢેક વાગ્યાના અરસામાં વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ ઑનેસ્ટ હોટલ નજીકથી આરોપી પોતાના હવાલા વાળી કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેમાં ફરિયાદીના પતિ હિતેશભાઈ કેશવજીભાઈ પટેલ, નિલેશભાઈ ઇન્દ્રવદનભાઈ ત્રિવેદી અને હિંમતભાઈ રેવાભાઇ પરમાર બેઠેલા હતા દરમિયાન તે કાર રોડ સાઈડના પુલિયા ઉપર ભટકાઈ હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીના પતિ હિતેશભાઈ કેશવજીભાઈ પટેલનું મોત નીપજયું હતું તેમજ નિલેશભાઈ, હિંમતભાઈ અને કાર ચાલક અલ્પેશભાઈને ઇજાઓ થયેલ હતી જેથી તે તમામને સારવારમાં લઈને આવ્યા હતા અને હાલમાં ભોગ બનેલ વ્યક્તિના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મહિલાને ત્રાસ

મોરબીના રોટરીનગર લક્ષ્મીનગરની બાજુમાં હાલમાં માવતરના ઘરે રહેતા ચંપાબેન ઈશ્વરભાઈ આંબલીયાએ તેના પતિ ઈશ્વરભાઈ કેશુભાઈ આંબલીયા અને સાસુ વનીતાબેન કેશુભાઈ આંબલીયા રહે. બંને માળિયા વનાળીયા સોસાયટી વાળાની સામે મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, નાની-નાની વાતમાં ઝઘડા કરીને મેણાં ટોણાં મારીને તેને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News