મોરબીના રણછોડનગરમાં પરિણીતાએ ઊંઘની વધુ ગોળીઓ પી લેતા સારવારમાં ખસેડાઇ
SHARE









મોરબીના રણછોડનગરમાં પરિણીતાએ ઊંઘની વધુ ગોળીઓ પી લેતા સારવારમાં ખસેડાઇ
મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલની બાજુમાં આવેલા રણછોડનગર વિસ્તારમાં રહેતી પરિણીતાએ કોઈ કારણોસર વધુ પડતી ઉંઘની દવાઓ પી દતા તેને સારવારમાં ખસેડવામાં આવી છે અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જણાવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડ નગર વિસ્તારની અંદર રહેતા પરેશભાઈ સૂમળના પત્ની સંગીતાબેન (૩૫) એ કોઈ કારણોસર ગઈકાલે બપોરના સમયે પોતાના ઘરે ઊંઘની વધુ પડતી ગોળીઓ ખાઇ લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે થઈને મોરબીની ખાનગી હોસ્પિટલમાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે લગ્ન ગાળો ત્રણ વર્ષનો છે
સગીરનું અપહરણ
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સિરામિકના કારખાનામાં રહેતા અને મુળ મધ્યપ્રદેશના પરિવારની સગીર વયની દીકરીને કોઈ અજાણ્યો શખસ અપહરણ કરી ગયેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનનાર સગીરાની માતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની દિકરીનું અપહરણ થયુ હોવાના બનાવની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને હાલમાં પોલીસે ગુનો નોંધીને આ સગીરાને શોધવા માટે તપાસ તજવીજ શરૂ કરેલ છે
