મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગેલ પોલીસનું ફૂટ પેટ્રોલીંગ મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ
Breaking news
Morbi Today

મચ્છુ-૧ ડેમે ખળખળ વહેતા મચ્છુના પાણીનો નજારો જોવા લોકો ઉમટ્યા: આજ સુધીમાં ૨૪ વખત ડેમ ઓવરફ્લો થયો


SHARE













મચ્છુ-૧ ડેમે ખળખળ વહેતા મચ્છુના પાણીનો નજારો જોવા લોકો ઉમટ્યા: આજ સુધીમાં ૨૪ વખત ડેમ ઓવરફ્લો થયો

 મોરબી જીલ્લાના વાંકાનેર પંથકમાં આવેલ મહાકાય મચ્છુ-૧ ચાલુ વર્ષે ઓવરફલો થયો છે ત્યારે નવા નીરની આવક અને ઓવરફલોના આહલાદક નજારો જોવા માટે મોરબી વાંકાનેર પંથકના લોકો ડેમ સાઇટ ઉપર ઉમટી રહ્યા છે અને અત્યાર સુધીમાં આ મહાકાય ડેમ ૨૪ મી વખત ઓવરફ્લો થયો છે તેવુ સિંચાઇ વિભાગના અધિકારી પાસેથી જાણવા મળ્યું છે 

મોરબી જીલ્લામાં વરસાદની આગાહી મુજબ ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે મોરબી જિલ્લાના સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી હતી અને જો વાત કરીએ મોરબી જિલ્લાના મહાકાય મચ્છુ-૧ ડેમની તો છેલ્લા દિવસોમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ થતાં ડેમમાં પાણીની આવક થઈ રહી હોવાથી ૪૯ ફૂટની ઊંડાઈ ધરાવતો આ ડેમાં બુધવારે સાંજે સાડા છ વાગ્યેથી ઓવરફ્લો થઇ ગયો હતો અને ડેમમાંથી પાણીનો ધોધ વહી રહ્યો છે તે નજારો જોવા માટે મોરબીરાજકોટ અને વાંકાનેર પંથકમાંથી લોકો આવી રહ્યા છે

હાલમાં સિચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યુ છે કે૧૯૬૦થી અત્યાર સુધીમાં  ૨૪ મી વખત આ મચ્છુ-૧ ડેમ ઓવરફ્લો થયો છે અને હજુ પણ આ ડેમમાં નવા નીરની આવક ચાલુ જ હોવાથી ડેમના નીચાણ વાળા વિસ્તારમાં આવતા વાંકાનેર અને મોરબી તાલુકાનાં કુલ મળીને ૨૪ ગામોને એલર્ટ પણ કરવાં આવ્યા છે અત્રે ઉલેખનીય છે કેમોરબીના મચ્છુ-૧ ડેમમાથી વાંકાનેર અને રાજકોટના લોકોને પીવા માટે અને વાંકાનેર, ટંકારા તેમજ મોરબીના ૩૦ ગામના ખેડૂતોને સિંચાઇ માટેનું બારે મહિના પાણી આપવામાં આવે છે

મહાકાય મચ્છુ ડેમ હાલમાં ઓવરફ્લો થયો હોવાથી મોરબી  અને વાંકાનેર તાલુકાનાં મોટાભાગના વિસ્તાર માટે એક વર્ષ સુધીનું જળસંકટ ટળી ગયું છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી અને આજની તારીખ મચ્છુ-૧ ડેમમાં ૨૪૩૫ એમસીએફટી જળ જથ્થો ભરાયેલ છે અને હાલમાં પણ આ ડેમ ૬ ઇંચથી ઓવરફ્લો થઈ રહ્યો છે ત્યારે ડેમ ઉપરથી ઝરણની જેમ વહેતું પાણી જોવા માટે લોકો દૂરદૂરથી મચ્છુ-૧ ડેમની સાઇટ ઉપર આવી રહ્યા છે અને કુદરતી સૌંદર્યની વચ્ચે ખળખળ વહેતા મચ્છુના પાણી જોઈને ખેડૂતો સહિતના લોકોના હૈયા હરખાઈ રહ્યા છે 






Latest News