વાંકાનેરના રાતાવીરડા ગામના યુવાન પાસેથી વ્યાજખોરોએ લઈ લીધેલ દાગીના, બાઇક અને કાર પોલીસે કબ્જે કરીને 10.49 લાખનો મુદમાલા પાછો અપાવ્યા મોરબીમાં પ્રેમ પ્રકરણમાં યુવતીના ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર ફાયરિંગ કરવાના ગુનામાં 5 પૈકી 4 આરોપીની ધરપકડ મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના બાટલાની ચોરી કરનાર આરોપી 1.49 લાખના મુદામાલ સાથે પકડાયો મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી
Breaking news
Morbi Today

ટંકારામાં સગાઈના પ્રસંગમાં આવી રહેલ બે વ્યક્તિના બાઇકને કાર ચાલકે બંગાવડી પાસે હડફેટે લેતા બંનેના મોત


SHARE









ટંકારામાં સગાઈના પ્રસંગમાં આવી રહેલ બે વ્યક્તિના બાઇકને કાર ચાલકે બંગાવડી પાસે હડફેટે લેતા બંનેના મોત

ટંકારા તાલુકાના બંગાવડી ગામ પાસે આવેલ રામદેવ હોટલથી થોડી આગળના ભાગમાં સ્કોર્પિયો કારના ચાલકે ડબલ સવારી બાઇકને લીધું હતું અને જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બાઈક ઉપર જઈ રહેલા બંને વ્યક્તિઓના મોત નીપજયાં હતા આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના દીકરાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે અકસ્માત સર્જીને નાશી ગયેલા કાર ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામના રહેવાસી સુરેશભાઈ નાગજીભાઈ પરમાર જાતે અનુ.જાતી (૩૦)એ હાલમાં સ્કોર્પિયો કાર નંબર જીજે ૩૬ એસી ૨૩૬૦ ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, ભાદરકા ગામેથી તેના પિતા નાગજીભાઈ ટપુભાઈ પરમાર (૪૭) અને તેના કૌટુંબિક ભાઈ પરસોતમભાઈ ઉગાભાઇ પરમાર (૩૭) ટંકારા ખાતે તેઓના સગાને ત્યાં સગાઈના પ્રસંગમાં હાજરી આપવા માટે થઈને આવી રહ્યા હતા ત્યારે ટંકારા તાલુકાના બંગાવડી ગામ પાસે આવેલ રામદેવ હોટલ નજીક સ્કોર્પિયો કારના ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતના બનાવ બન્યો હતો અને અકસ્માતમાં બનાવમાં ફરિયાદીના પિતા નાગજીભાઈ અને કૌટુંબી ભાઈ પરસોત્તમભાઈને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તે બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને અકસ્માત સર્જાયા બાદ સ્કોર્પિયો કાર પણ રસ્તા ઉપર પલટી મારી ગઈ હતી જેથી કરીને તે કારના ચાલક અને તેમાં બેઠેલા અન્ય ત્રણ વ્યક્તિ આમ કુલ મળીને ચાર વ્યક્તિઓને નાના મોટી ઈજાઓ થઈ હતી જોકે, અકસ્માત સર્જાયા બાદ તે ચારેય વ્યક્તિઓ ત્યાંથી નાસી ગયા હતા. હાલમાં મૃતકના દીકરાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે સ્કોર્પિયો કારના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News