આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

પ્રેમિકાના ભાઈએ યુવાનનું તેના જ ટ્રકમાં વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી અપહરણ કરીને માર માર્યો: ચાર સામે ફરિયાદ


SHARE













પ્રેમિકાના ભાઈએ યુવાનનું તેના જ ટ્રકમાં વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી અપહરણ કરીને માર માર્યો: ચાર સામે ફરિયાદ

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી યુવાન ટ્રક લઈને જઈ રહ્યો હતો ત્યારે તે યુવાનને જેની સાથે પ્રેમસબંધ હતો તેના ભાઈ સહિત બે વ્યક્તિએ યુવાનનું તેના જ ટ્રકમાં અપહરણ કર્યું હતું અને ત્યારબાદ બામણબોર નજીક લઈ જઈને ત્યાં ધોકા વડે તેને માર માર્યો હતો અને તેનો વિવો કંપનીનો મોબાઇલ પણ લઈ લીધો હતો જેથી  હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ચોટીલા તાલુકાના જાની વડલા ગામે રહેતા સવસીભાઈ કાનાભાઈ ઘાંઘળ જાતે રબારી (૩૭)એ હાલમાં નારાયણભાઈ બેચરભાઈ, નાનુભાઈ કમાભાઈ, નાજાભાઇ માત્રાભાઈ અને વિપુલભાઈ ખીમાભાઈ રહે. બધા જાની વડલા તાલુકો ચોટીલા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી તેઓ પોતાનો ટ્રક લઈને જઈ રહ્યા હતા ત્યારે નારણભાઈ બેચરભાઈની બહેન સાથે તેને પ્રેમ સંબંધ હોય તે બાબતનો ખાર રાખીને નારણભાઈ બેચરભાઈ અને નાનુભાઈ કમાભાઈ તેના ટ્રક પાસે આવ્યા હતા અને તેને ટ્રકમાં સાઈડમાં બેસાડીને તેનું તેના જ ટ્રકની અંદર અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારે નાનુભાઈ કમાભાઇએ ગાડી ચલાવી હતી અને બામણબોર તરફ ટ્રક લઈ ગયા હતા અને ત્યાં તેને નીચે ઉતારીને નારણભાઈ અને નાનુભાઈએ પકડી રાખ્યો હતો અને નાજાભાઇ માત્રાભાઈ તેમજ વિપુલભાઈ ખીમાભાઈએ તેને ધોકા વડે માર માર્યો હતો તેમજ ફરિયાદી યુવાનનો વીવો કંપનીનો ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન પણ લઈ ગયા હતા જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ હાલમાં ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News