અધ્યયન મંડળ મોરબી દ્વારા આવતા ગુરુવારે બૌદ્ધિક કાર્યશાળા મોરબીમાં  મહિલા દિવસ નિમિતે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકેલ કેમ્પ યોજાયો મોરબી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ-ફાયરની ટીમ દોડી આવી મોરબીમાં છેલ્લા 3 દિવસમાં પ્રોપેન ગેસ આધારિત વધુ 70 કારખાના બંધ, ઈરાન-ઇઝરાયલના યુધ્ધ પછી કુલ 170 સિરામિક કારખાના બંધ થયા મોરબીની રવિરાજ ચોકડીના પુલ ઉપર આગળ જતા વાહનની પાછળ ક્રેટા ગાડી અથડાતા માથા અને શરીરે ઇજા થતાં યુવાનનું મોત મોરબીમાં લોહીની ઉલટી થયા બાદ યુવાનનું મોત હળવદના નવા વેગડવાવ ગામે ખેતરમાં ઘઉં કાપવાના કટર મશીન ઉપર ચડેલા યુવાનનું ઇલેક્ટ્રિક શોટ લાગતા મોત ​​​​​​​મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા આધેડે પોતાના જ ઘરમાં અંતિમ પગલું ભરી લેતા મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના લિંબાળામાં પ્રેમલગ્ન કરનારા યુવાનની માતાને યુવતીના પિતાએ માર માર્યો


SHARE













વાંકાનેરના લિંબાળામાં પ્રેમલગ્ન કરનારા યુવાનની માતાને યુવતીના પિતાએ માર માર્યો

વાંકાનેર નજીક આવેલ લિંબાળા ગામે રહેતી મહિલાના દીકરાએ પ્રેમ લગ્ન કરેલ હોય યુવતીના પિતાને તે સારું નહીં લાગતા તેણે મહિલાને ગાળો આપી હતી અને લાકડી વડે બંને હાથમાં માર મારીને ફેક્ચર જેવી ઈજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મહિલાએ સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ લિંબાળા ગામે રહેતા શારદાબેન જાદવભાઈ સીતાપરા જાતે કોળી (ઉમર ૪૦) એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે શંકર ઉર્ફે સંઘો પ્રેમજીભાઈ સીતાપરા રહે. લિંબાળા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના દીકરાએ આરોપી શંકરભાઈની દીકરી સાથે પ્રેમ લગ્ન કરેલ છે જે તેઓને સારું નહીં લાગતા આરોપીએ ગામની સહકારી દૂધની ડેરી પાસે તેઓ હતા ત્યારે ગાળો આપી હતી અને લાકડી વડે બંને હાથમાં માર મારીને ફેક્ચર જેવી ઇજા કરેલ છે અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી કરીને મહિલાએ સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર સુધી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા નારણભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે.

રીક્ષા પલ્ટી જતા ઇજા

મોરબીના પંચાસર રોડ પાસે રીક્ષા પલ્ટી મારી જવાનો અકસ્માત બનાવ બન્યો હતો આ બનાવમાં અખ્તરભાઈ ગનીભાઈ સેવંગીયા (ઉંમર ૪૦) રહે.વાંકાનેર દરવાજા પાસે મોરબી વાળાઓને ઇજાઓ થતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની સારવાર કર્યા બાદ બનાવની જાણ પોલીસમાં કરાતા પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા નોંધ કરીને અકસ્માત બનાવની આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.જ્યારે મોરબીના કુબેરનાથ રોડ ઉપર રહેતા મહેબૂબભાઈ દાઉદભાઈ કાજી નામના ૫૪ વર્ષીય આધેડ સાયકલ લઈને જતા હતા ત્યારે તેઓ સાયકલ સહિત નીચે પડી જતા ઇજા પામતા સારવાર માટે તેઓને પણ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.




Latest News