મોરબી નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન દ્વારા માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરાઈ મોરબીની GMERS જનરલ હોસ્પિટલમાં 20 વર્ષની યુવતીની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી મોરબી: NMMS 2025-2026 ની પરીક્ષામાં વનાળિયા પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ મોરબીના લીલાપર ગામ નજીક પુલ પાસે વળાંકમાં છકડો રીક્ષાએ મારી પલટી: બનાવનો વિડિયો વાયરલ મોરબી જીલ્લામાં ધો. 10-12 માં કુલ 22,870 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે, પરિક્ષા સમિતિની બેઠક યોજાઇ મોરબીના રફાળેશ્વર ગામે શિવરાત્રી નિમિતે આજથી બે દિવસીય મેળો શરૂ: રાઈડસ-પાર્કિંગના ભાવનું બાંધણું કરાયું વાંકાનેરમાં ઈલેક્ટ્રિક શૉક લાગવાથી ગંભીર બનેલા ૮ માસના માસુમ બાળક માટે ૧૦૮ બની દેવદૂત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ: નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે એક દિવસીય આધ્યાત્મિક વિકાસ  શિબિર યોજાઇ


SHARE













મોરબીના પરશુરામ ધામ ખાતે એક દિવસીય આધ્યાત્મિક વિકાસ  શિબિર યોજાઇ

મોરબીના પરશુરામ ધામ ખાતે રામચરિત માનસ સિદ્ધાંત આધારિત એક દિવસીય આધ્યાત્મિક વિકાસ  શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિર સ્વર્ગીય સરોજબેન ભુપતભાઈ પંડ્યા તથા સ્વ ભાનુમતિબેન કે. ભટ્ટ ના સ્મરણાર્થે પરશુરામ ધામ ટ્રસ્ટ તથા બ્રહ્મ આગેવાન યુવાનો તથા મહિલાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જે શિબિરના મુખ્ય વક્તા ડો. ગોપાલ શાસ્ત્રીજી હતા આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ નવી ભોજન પ્રથાથી દવા વિના રોગમુક્તિનો હતો આ શિબિરનો મુખ્ય હેતુ પ્રાકૃતિક ભોજન લેવાથી દવા વગર શરીરમાં એક કે બે મહિનામાં કોઈ પણ પ્રકારના રોગમાંથી મુક્તિ મળે છે આવું ગોપાલ શાસ્ત્રીજી દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ શિબિરમાં ૧૩૦ થી  વધારે લોકોએ ભાગ લીધેલ હતો આ શિબિરને સફળ બનાવવા માટે ભુપતભાઈ પંડ્યા, અનિલભાઈ મહેતા, રાજેન્દ્રભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઈ મહેતા, કિશનભાઇ ઉપાધ્યાય, અતુલભાઈ જોશી, હરેશભાઈ જાની, સુરેશભાઈ જોશી, જીતુભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, નિરજભાઈ ભટ્ટ, મુકેશભાઈ જાની, મુકેશભાઈ રાજગોર, રાજુભાઈ ત્રિવેદી, ધ્યાનેશ ભાઈ રાવલ, કિરણબેન ઠાકર, નીલાબેન પંડિત સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી






Latest News