મોરબીના જોધપર નદી ગામના જાપા પાસેથી ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત   મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે એક દિવસીય આધ્યાત્મિક વિકાસ  શિબિર યોજાઇ


SHARE







મોરબીના પરશુરામ ધામ ખાતે એક દિવસીય આધ્યાત્મિક વિકાસ  શિબિર યોજાઇ

મોરબીના પરશુરામ ધામ ખાતે રામચરિત માનસ સિદ્ધાંત આધારિત એક દિવસીય આધ્યાત્મિક વિકાસ  શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિર સ્વર્ગીય સરોજબેન ભુપતભાઈ પંડ્યા તથા સ્વ ભાનુમતિબેન કે. ભટ્ટ ના સ્મરણાર્થે પરશુરામ ધામ ટ્રસ્ટ તથા બ્રહ્મ આગેવાન યુવાનો તથા મહિલાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જે શિબિરના મુખ્ય વક્તા ડો. ગોપાલ શાસ્ત્રીજી હતા આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ નવી ભોજન પ્રથાથી દવા વિના રોગમુક્તિનો હતો આ શિબિરનો મુખ્ય હેતુ પ્રાકૃતિક ભોજન લેવાથી દવા વગર શરીરમાં એક કે બે મહિનામાં કોઈ પણ પ્રકારના રોગમાંથી મુક્તિ મળે છે આવું ગોપાલ શાસ્ત્રીજી દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ શિબિરમાં ૧૩૦ થી  વધારે લોકોએ ભાગ લીધેલ હતો આ શિબિરને સફળ બનાવવા માટે ભુપતભાઈ પંડ્યા, અનિલભાઈ મહેતા, રાજેન્દ્રભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઈ મહેતા, કિશનભાઇ ઉપાધ્યાય, અતુલભાઈ જોશી, હરેશભાઈ જાની, સુરેશભાઈ જોશી, જીતુભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, નિરજભાઈ ભટ્ટ, મુકેશભાઈ જાની, મુકેશભાઈ રાજગોર, રાજુભાઈ ત્રિવેદી, ધ્યાનેશ ભાઈ રાવલ, કિરણબેન ઠાકર, નીલાબેન પંડિત સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી






Latest News