મોરબી : વન્યજીવન સપ્તાહ અનુસંધાને ચિત્ર સ્પર્ધાનું આયોજન
SHARE









મોરબી : વન્યજીવન સપ્તાહ અનુસંધાને ચિત્ર સ્પર્ધાનું આયોજન
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગુજરાત સરકાર-ગાંધીનગર દ્વારા માન્ય આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી દ્વારાં વન્યજીવન સપ્તાહના અનુસંધાને વિશ્વ વન્ય જીવ કલ્યાણ દિવસ દરેક પ્રાણીઓ પરાવલંબી એટલે જીવન ટકાવવા માટે ખોરાક માટે વનસ્પતિ કે પ્રાણીનો ઉપયોગ કરે છે એ જૈવિક ઘટના છે.પ્રાણીઓ માનવ ઉત્પતિ પહેલા આ પૃથ્વીના રહેવાસી છે.આવો આપણે સૌ તેનું જતન કરીએ એ જ વિશ્વ વન્ય જીવ કલ્યાણ દિવસની સાચી ઉજવણી છે.
તેથી વન્ય જીવ કલ્યાણ દિવસનાં અનુસંધાને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેટેગરી મુજબ ગમતાં કોઈપણ બે પ્રાણીનાં ચિત્રો દોરીને તેમાં રંગો પુરી કોઈપણ એક પ્રાણી વિશે ચાર વાક્યો લખવામા રહેશે.સ્પર્ધામાં ભાગ લેવા માટે છેલ્લી તા.૭-૧૦ ના રાત્રીના નવ વાગ્યા સુધીમાં ડ્રોઈંગસીટમાં ચિત્ર સાથે ચાર વાક્યો લખી તેનો ફોટો પાડીને એલ.એમ.ભટ્ટ (મો.98249 12230, 87801 27202) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) ઉપર મોકલી આપવા યાદીમાં જણાવાયેલ છે.
