મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબી-માળીયા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં બ્રિજેશ મેરજાને ઘોડે ચડાવીને વાજતે ગાજતે કરાયું સન્માન


SHARE







મોરબી-માળીયા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં બ્રિજેશ મેરજાને ઘોડે ચડાવીને વાજતે ગાજતે કરાયું સન્માન

ગઇકાલે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની જન આશીર્વાદ યાત્રા હળવદના ચરાડવામાં આવેલ મહાકાળી આશ્રમ ખાતે માતાજીના દર્શન તેમજ ત્યાના સંતના આશીર્વાદ લઈને આગળ વધી હતી ત્યાર બાદ નીચી માંડલ ગામે તેનું સાંસદ મોહનભાઇ કુંડારિયા સહિતની ટીમે સ્વાગત કર્યું હતું અને બાદમાં મોરબીની મહેન્દ્રનગર ચોકડી ખાતે જિલ્લા પંચાયતના ઈન્ચાર્જ પ્રમુખ જાનકીબેન કૈલા અને જીજ્ઞેશભાઈ કૈલાની ટીમે આ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને બ્રિજેશ મેરજાને ઘોડે બેસાડયા હતા બાદમાં તેઓનું દિવ્યાંગોએ અભિવાદન કર્યું હતું અને આ યાત્રા બેલા થઈને જેતપર પહોચી હતી ત્યાં જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાની ટીમે જન આશીર્વાદ યાત્રાનું સ્વાગત કર્યું હતું ત્યથી અણિયારી ચોકડી, મોટાભેલા, ચમનપર, વવાણીયામાં મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા અને તેની ટીમે જન આશીર્વાદ યાત્રાનું સ્વાગત કર્યું હતું ત્યાર બાદ બ્રિજેશ મેરજાએ શ્રીમદ રાજચંદ્ર મંદિર અને રામબાઈ માતાજીના દર્શન કર્યા હતા.




Latest News