મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી અને રાજ્ય મંત્રીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું મોરબીમાં શનાળાના શક્તિ માતાના મંદિરે પ્રભારી મંત્રી-રાજ્યમંત્રીએ સ્વચ્છતા માટે કર્યું શ્રમદાન મોરબીમાંથી યુવતી ગુમ, પોલીસને જાણ કરાતા તપાસ શરૂ મોરબીમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવતા મને જૂના કેસમાં પોલીસની નોટિસ મળી: પંકજ રાણસરીયા મોરબીમાં ૧૫૦ પેટી દારૂના ગુનામાં પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો હળવદના કોયબા ગામ પાસે રબ્બરની ફેક્ટરીમાં લાગેલી આગ કાબુમાં: કુલિંગ માટે હજુ પણ પાણીનો મારો ચાલુ હળવદના ખેતરડી ગામે દારૂની રેડ: 2700 લીટર આથો-50 લિટર દેશી દારૂ કબ્જે, આરોપીની શોધખોળ મોરબીમાં કાર ચાલકે બુલેટને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે નજીવી બાબતે છરી વડે હુમલો, ગુનો નોંધાયો


SHARE











મોરબીના મકનસર ગામે નજીવી બાબતે છરી વડે હુમલો, ગુનો નોંધાયો

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા નવા મકનસર ગામે નજીવી વાતે બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી જેમાં છરી વડે હુમલો કરવામાં આવતા ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા બાદમાં યુવાને ફરિયાદ નોંધાવતા ચાર સામે ગુનો નોંધીને તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવા મકનસર ગામે રહેતા કુંવરજીભાઇ બચુભાઈ પરમાર જાતે રાવળદેવ (૨૯) નામના યુવાને ત્યાં જ રહેતા સુનિલ જેસીંગ, કિશોર બાબુ, આનંદ બાબુ અને કિશોરનો સાળો લાલો એમ ચાર સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસને જણાવ્યું હતું કે "તમે આ બાજુ કેમ જાજરૂ જવા માટે આવો છો..?" તેમ કહીને બોલાચાલી કરીને ગાળો આપવામાં આવી હતી જેથી ગાળો દેવાની ના પાડતાં તેમના ઉપર તથા સુરેશ ધના પરમાર અને ઘનશ્યામ ધનજી પરમાર એમ ફરીયાદી સહિત ત્રણ લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ત્રણેયને ઢીકીપાટુનો માર મારવામાં આવ્યો હતો તે દરમ્યાન સુનિલે કુંવરજીભાઇના માથાના ભાગે છરી ઝીંકી દીધી હોય ત્રણેયને સારવારમાં લઇ જવાયા હતા. સામાપક્ષના કિશોર બાબુ રાવળદેવ (૩૫), બાબૂ પરશુરામ પરમાર અને મોંઘીબેન આનંદભાઇ ગોહેલ (૨૫) ને પણ સારવારમાં લઇ જવાયા હતા. હાલ કુંવરજીભાઇ પરમારની ફરીયાદ ઉપરથી સુનિલ જેસીંગ, કિશોર બાબુ, આનંદ બાબુ અને કિશોરનો સાળો લાલો એમ ચાર સામે ફરિયાદ નોંધીને તાલુકા પાલીસ મથકના જે.પી.વસીયાણીએ તપાસ હાથ ધરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલ લુંણસર ગામના રહેવાસી નાગજીભાઈ કાનાભાઈ ધ્રાંગીયા નામના ૪૯ વર્ષીય આધેડ કામ સબબ મોરબી આવ્યા હતા અને મોરબીથી પરત પોતાના ગામ લુણસર જતા હતા ત્યારે રસ્તામાં જોધપર નદી ગામ પાસે તેમના બાઈકની આડે અચાનક કૂતરૂ આડું ઉતર્યુ હતું જેથી બાઈક સ્લીપ થઈ જવાના બનેલા બનાવમાં નાગજીભાઇને ઇજાઓ થતા તેઓને સારવાર માટે અહીંની આયુષ હોસ્પીટલે ખસેડાયા હતા.






Latest News