મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે નજીવી બાબતે છરી વડે હુમલો, ગુનો નોંધાયો


SHARE













મોરબીના મકનસર ગામે નજીવી બાબતે છરી વડે હુમલો, ગુનો નોંધાયો

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા નવા મકનસર ગામે નજીવી વાતે બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી જેમાં છરી વડે હુમલો કરવામાં આવતા ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા બાદમાં યુવાને ફરિયાદ નોંધાવતા ચાર સામે ગુનો નોંધીને તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવા મકનસર ગામે રહેતા કુંવરજીભાઇ બચુભાઈ પરમાર જાતે રાવળદેવ (૨૯) નામના યુવાને ત્યાં જ રહેતા સુનિલ જેસીંગ, કિશોર બાબુ, આનંદ બાબુ અને કિશોરનો સાળો લાલો એમ ચાર સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસને જણાવ્યું હતું કે "તમે આ બાજુ કેમ જાજરૂ જવા માટે આવો છો..?" તેમ કહીને બોલાચાલી કરીને ગાળો આપવામાં આવી હતી જેથી ગાળો દેવાની ના પાડતાં તેમના ઉપર તથા સુરેશ ધના પરમાર અને ઘનશ્યામ ધનજી પરમાર એમ ફરીયાદી સહિત ત્રણ લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ત્રણેયને ઢીકીપાટુનો માર મારવામાં આવ્યો હતો તે દરમ્યાન સુનિલે કુંવરજીભાઇના માથાના ભાગે છરી ઝીંકી દીધી હોય ત્રણેયને સારવારમાં લઇ જવાયા હતા. સામાપક્ષના કિશોર બાબુ રાવળદેવ (૩૫), બાબૂ પરશુરામ પરમાર અને મોંઘીબેન આનંદભાઇ ગોહેલ (૨૫) ને પણ સારવારમાં લઇ જવાયા હતા. હાલ કુંવરજીભાઇ પરમારની ફરીયાદ ઉપરથી સુનિલ જેસીંગ, કિશોર બાબુ, આનંદ બાબુ અને કિશોરનો સાળો લાલો એમ ચાર સામે ફરિયાદ નોંધીને તાલુકા પાલીસ મથકના જે.પી.વસીયાણીએ તપાસ હાથ ધરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલ લુંણસર ગામના રહેવાસી નાગજીભાઈ કાનાભાઈ ધ્રાંગીયા નામના ૪૯ વર્ષીય આધેડ કામ સબબ મોરબી આવ્યા હતા અને મોરબીથી પરત પોતાના ગામ લુણસર જતા હતા ત્યારે રસ્તામાં જોધપર નદી ગામ પાસે તેમના બાઈકની આડે અચાનક કૂતરૂ આડું ઉતર્યુ હતું જેથી બાઈક સ્લીપ થઈ જવાના બનેલા બનાવમાં નાગજીભાઇને ઇજાઓ થતા તેઓને સારવાર માટે અહીંની આયુષ હોસ્પીટલે ખસેડાયા હતા.






Latest News