મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે નજીવી બાબતે છરી વડે હુમલો, ગુનો નોંધાયો


SHARE













મોરબીના મકનસર ગામે નજીવી બાબતે છરી વડે હુમલો, ગુનો નોંધાયો

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા નવા મકનસર ગામે નજીવી વાતે બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી જેમાં છરી વડે હુમલો કરવામાં આવતા ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા બાદમાં યુવાને ફરિયાદ નોંધાવતા ચાર સામે ગુનો નોંધીને તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવા મકનસર ગામે રહેતા કુંવરજીભાઇ બચુભાઈ પરમાર જાતે રાવળદેવ (૨૯) નામના યુવાને ત્યાં જ રહેતા સુનિલ જેસીંગ, કિશોર બાબુ, આનંદ બાબુ અને કિશોરનો સાળો લાલો એમ ચાર સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસને જણાવ્યું હતું કે "તમે આ બાજુ કેમ જાજરૂ જવા માટે આવો છો..?" તેમ કહીને બોલાચાલી કરીને ગાળો આપવામાં આવી હતી જેથી ગાળો દેવાની ના પાડતાં તેમના ઉપર તથા સુરેશ ધના પરમાર અને ઘનશ્યામ ધનજી પરમાર એમ ફરીયાદી સહિત ત્રણ લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ત્રણેયને ઢીકીપાટુનો માર મારવામાં આવ્યો હતો તે દરમ્યાન સુનિલે કુંવરજીભાઇના માથાના ભાગે છરી ઝીંકી દીધી હોય ત્રણેયને સારવારમાં લઇ જવાયા હતા. સામાપક્ષના કિશોર બાબુ રાવળદેવ (૩૫), બાબૂ પરશુરામ પરમાર અને મોંઘીબેન આનંદભાઇ ગોહેલ (૨૫) ને પણ સારવારમાં લઇ જવાયા હતા. હાલ કુંવરજીભાઇ પરમારની ફરીયાદ ઉપરથી સુનિલ જેસીંગ, કિશોર બાબુ, આનંદ બાબુ અને કિશોરનો સાળો લાલો એમ ચાર સામે ફરિયાદ નોંધીને તાલુકા પાલીસ મથકના જે.પી.વસીયાણીએ તપાસ હાથ ધરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલ લુંણસર ગામના રહેવાસી નાગજીભાઈ કાનાભાઈ ધ્રાંગીયા નામના ૪૯ વર્ષીય આધેડ કામ સબબ મોરબી આવ્યા હતા અને મોરબીથી પરત પોતાના ગામ લુણસર જતા હતા ત્યારે રસ્તામાં જોધપર નદી ગામ પાસે તેમના બાઈકની આડે અચાનક કૂતરૂ આડું ઉતર્યુ હતું જેથી બાઈક સ્લીપ થઈ જવાના બનેલા બનાવમાં નાગજીભાઇને ઇજાઓ થતા તેઓને સારવાર માટે અહીંની આયુષ હોસ્પીટલે ખસેડાયા હતા.




Latest News