માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીના રાજપરમાં યોજાશે ગૌશાળાના લાભાર્થે નાટક: “વિજુડી” કરશે જમાવટ


SHARE











મોરબીના રાજપરમાં યોજાશે ગૌશાળાના લાભાર્થે નાટક: “વિજુડી” કરશે જમાવટ

મોરબી તાલુકાનાં જુદાજુદા ગામોમાં નવરાત્રિ દરમ્યાન ગૌશાળાના લાભાર્થે જુદાજુદા કાર્યક્રમો કરવામાં આવે છે તેવી જ રીતે મોરબી તાલુકાના રાજપર ગામમાં આગામી શનિવારે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે યુટ્યુબ સ્ટાર વિજુડી પણ ત્યાં હાજર રહીને લોકોને પેટ પકડાવીને હસાવશે

મોરબી તાલુકાના રાજપર ગામમાં નિરાધાર ગાય માતાનો નિભાવ ગામ દ્વારા કરવામાં આવે છે અને આ ગામમાં દર વર્ષે નવરાત્રીમાં ગાયોના લાભાર્થે નાટકનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૯ ને શનિવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે સેતલનાં કાંઠે આલણ દેવરો ઐતિહાસિક નાટકનું આયોજન કરેલ છે. ત્યારે નકલંક ધામ-બગથળાના દામજી ભગત આશીર્વચન આપવા માટે આવશે અને યુટ્યુબ સ્ટાર વિજુડી અને તેની ટીમ પણ ત્યાં હાજર રહેશે અને લોકોને પેટ પકડાવીને હસાવશે માટે આ કાર્યક્ર્મનો લાભ લેવા અને ગૌ સેવાના કામમાં મદદ કરવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે






Latest News