મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત: સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં જાત જલાવીને આધેડ મહિલાએ કર્યો આપઘાત મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન મોરબી તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત: હળવદના મિયાણી નજીક કેનાલના પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંખનો વિનામૂલ્યે મેગા કેમ્પ યોજાશે


SHARE













વાંકાનેરમાં દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંખનો વિનામૂલ્યે મેગા કેમ્પ યોજાશે

વાંકાનેરમાં દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંખનો વિનામૂલ્યે મેગા કેમ્પ યોજવામાં આવનાર  છે અને આગામી તા. ૨૭ જાન્યુઆરીથી તા. ૩ ફેબ્રુઆરી સુધી આ મેગા કેમ્પ ચાલવાનો છે જે કેમ્પમાં બાળકોની આંખના રોગો માટે જેવા કે ૧૬ વર્ષ સુધીની ઉમરના બાળકો માટે ત્રાંસી આંખ, બાળ મોતિયો અને આંખના અન્ય રોગોનું વિનામૂલ્યે નિદાન કરી આપવામાં આવશે તેમજ સારવાર અને ઉપલબ્ધ સુવિધા અનુસાર ઓપરેશન કરવામાં આવશે તેમજ ત્રાંસી આંખના દરેક ઉમરના દર્દીઓ પણ કેમ્પનો લાભ લઇ શકશે

જે કેમ્પનો લાભ લેવા માટે એપોઇનમેન્ટ લેવી અનિવાર્ય છે તેના માટે સવારે ૯ થી ૧ અને બપોરે ૨ થી ૫ સુધીમાં ફોન નંબર ૦૨૮૨૮ ૨૨૨૦૮૨ અથવા તો મોબાઈલ નંબર ૯૪૦૮૯ ૩૯૯૮૨ ઉપર સંપર્ક કરીને નામ નોંધાવવાનું રહેશે આ કેમ્પના મુખ્ય દાતા સ્ટુઅર્ટ પાવર્સ યુ.કે. છે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર દ્વારા આંખનો વિનામૂલ્યે મેગા કેમ્પ યોજાશે જે કેમ્પનું સ્થળ એન.આર. દોશી આંખની હોસ્પિટલ, નવા બસ સ્ટેન્ડ પાસે, રાજકોટ રોડ વાંકાનેર રહેશે

ધૂળકોટ ગામે મંદિરના લાભાર્થે યોજાશે લોકડાયરો

મોરબીના ધૂળકોટ ગામે શુક્રવારે વાનરવીર આશ્રમ ખાતે મંદિર અને શિવાલયના લાભાર્થે ભવ્ય લોકડાયરોનું આયોજન કરવામાં આવ્યું છે જેની સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, ધૂળકોટ ખાતે વાનરવીર હનુમાનજીના મંદિર તથા દેવાધિદેવ મહાદેવેના શિવાલયના નવ નિર્માણના લાભાર્થે તા.૧૨/૧ ના રોજ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સાંજે ૬:૩૦ કલાકે મહાપ્રસાદ યોજશે.અને રાત્રે ૯:૩૦ કલાકે લોકડાયરો ચાલુ થશે જેમાં વર્ષાબેન તલસાણિયા, ભૂમિબેન આહિર, બેબી મિત્તલ, ભજનીક લાખાભાઈ આહિર અને છગનભગત (રામગઢ), સાહિત્યકાર વાલાભા ગઢવી અને કમાભાઈ કોઠારીયા સહિતના કલાકારો જમાવટ કરશે આ ધાર્મિક કાર્યમાં સહકાર આપવા અને કાર્યક્રમનો લાભ લેવા માટે વાનરવીર યુવક મંડળ દ્વારા સહુને આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News