મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ ત્રણ સગીરના શરતી જામીન મંજૂર 


SHARE













મોરબીમાં થયેલ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ ત્રણ સગીરના શરતી જામીન મંજૂર  

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન્મા હત્યાની ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરને હસ્તગત કરવામાં આવેલ હતા જેની વકીલ મારફતે મોરબી જીલ્લાની અધીક સેસન્સ કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં તેના શરતી જમીન મંજૂર કરવામાં આવેલ છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદી એવી ફરિયાદ નોંધવેલ હતી કે, ફરીયાદીનો ભાઈ મોરબીના ખોખરા હનુમાન પાસે ફેકટરીમાં નોકરી ઉપર હતો અને તે કોઈ કારણસર ફેકટરીની બહાર ગયેલ હતો ત્યારે કોઈ અજાણયા માણસે કોઈ કારણસર તેને છાતીના ભાગે ચાકુ ના ઘા મારી ગંભીર ઈજા કરી મોત નીપજાવી અજાણયા આરોપીએ ગુનો કરેલ હતો જે અંગેની ફરિયાદ આધારે ગુનાના કામે ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકોને હસ્તગત કરવામાં આવેલ હતા અને આ કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરો વતી મોરબી જીલ્લાના સીનીયર વકીલ દીલીપભાઈ આર. અગેચાણીયા રોકાયા હતા અને મોરબી કોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી અને આરોપી તરફે ધારદાર કાયદાકીય દલીલ કરી હતી અને બન્ને પક્ષકારોની દલીલના અંતે કોર્ટે બચાવ પક્ષના વકીલની દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ છે આ કામમાં બચાવ તરફે મોરબી જીલ્લાના સીનીયર વકીલ દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે.ડી.સોલંકી, કુલદીપ ઝીઝુવાડીયા, રવી ચાવડા, હીતેશ પરમાર રોકાયેલા હતા.






Latest News