મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં દીકરીઓ માટે ટેવેલ્થ ફેઈલ ફિલ્મનો ખાસ શો આજે સાંજે કન્યા છાત્રાલયમાં ગોઠવાયો


SHARE













મોરબીમાં દીકરીઓ માટે ટેવેલ્થ ફેઈલ ફિલ્મનો ખાસ શો આજે સાંજે કન્યા છાત્રાલયમાં ગોઠવાયો

વર્તમાન સમયમાં બોર્ડની પરીક્ષા નજીક આવે ત્યારે વિદ્યાર્થીઓએ સહુથી વધુ પ્રેસરમાં આવી જતાં હોય છે ત્યારે મોરબી કન્યા છાત્રાલયના સંચાલકો દ્વારા દીકરીઓને મોટીવેશન અને પ્રેરણા માટે તેના માટે તાજેતરમાં જ રીલીઝ થયેલ ટેવેલ્થ ફેઈલ ફિલ્મનો ખાસ શો આજે સાંજે કન્યા છાત્રાલયમાં રાખવામાં આવેલ છે અને તે ફિલ્મ જોવા માટે કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી દીકરીઓ ઉપરાંત અન્ય શાળા કે પછી કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓ પણ આવી શકે છે તેવું સંસ્થાના સંચાલકોએ જણાવ્યુ છે

મોરબીમાં કડવા પાટીદાર કન્યા છાત્રાલય દ્વારા વર્ષોથી હજારો દિકરીઓનું ભણતર, ગણતર, ઘડતર અને ચારિત્ર્ય નિર્માણ થઈ રહ્યું છે ગઈકાલે છાત્રાલયમાં દેશભક્તિ સભર અદ્ભૂત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે એટલે કે તા. ૧૩/૩ ના રોજ છાત્રાલયમાં દિકરીઓ માટે સાંજે ૭:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી ટેવલ્થ ફેઈલ ફિલ્મ ના ખાસ શો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બારમાં ધોરણમાં નાપાસ થયેલ વિદ્યાર્થી નિરાશ હતાશ થયા વગર જીવનમાં ખુબ જ સંઘર્ષ કરી કાળી મજૂરી કરી આઇપીએસ થયેલ છે તે યુવાનની સ્ટોરી બતાવવામાં આવેલ છે આ ફિલ્મ જોવાથી દીકરીઓને ખુબ જ પ્રેરણા પ્રાપ્ત થશે. તો કન્યા છાત્રાલય સહિત અન્ય શાળા કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓને પણ આ ફિલ્મ નિઃશુલ્ક જોવા માટે ત્યાં આવી શકે તેના માટે સંસ્થાના સંચાલકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે તેવું કડવા પાટીદાર કેળવણી મંડળની યાદીમાં જણાવવામાં આવે છે.






Latest News