મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

રામમય ગામ: ટંકારાના નાના રામપર-હડમતીયા ગામે બે દિવસીય જુદાજુદા કાર્યક્રમો યોજાશે


SHARE













રામમય ગામ: ટંકારાના નાના રામપર-હડમતીયા ગામે બે દિવસીય જુદાજુદા કાર્યક્રમો યોજાશે

ટંકારા તાલુકાના નાના રામપર ગામમાં આગામી તા. ૨૧ અને ૨૨ જાન્યુઆરીના રોજ શ્રી રામજી મંદિર ભાવ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે આવી જ રીતે હડમતિયા ગામે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સાથે શોભાયાત્રા, લોકડાયરો, મહાપ્રસાદ સહિતના આનંદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

નાના રામપર ગામે વસતા ભગવાનજીભાઈ ભીખાભાઈ કાલરીયા, સવિતાબેન ભગવાનજીભાઈ કાલરીયાના નિવાસસ્થાને બે દિવસીય ભવ્ય શ્રી રામજી મંદિર ભાવ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જેમાં તા. ૨૧ ને રવિવારે સવારે ૦૭ : ૩૦ કલાકે મહાયજ્ઞ, બપોરે ૦૨ : ૩૦ કલાકે શોભાયાત્રા યોજાશે તેમજ તા. ૨૨ ને સોમવારે સવારે મહાયજ્ઞ બાદમાં મૂર્તિ અભિષેક અને બપોરે બીડું હોમાશે ઉપરાંત તા. ૨૨ ને સોમવારે રાત્રે ૯ કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે જે ધાર્મિક મહોત્સવનો લાભ લેવા કાલરીયા પરિવારે જણાવ્યું છે

હડમતિયા ગામ

ટંકારાના હડમતિયા ગામે અયોધ્યામાં યોજાઇ રહેલ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને આનંદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તા- ૨૧ ના રોજ રાત્રે ૮:૩૦ કલાકે રાસગરબા, તા ૨૨ ના રોજ સવારે ૫ થી ૭ પ્રભાતિયા, ૮થી ૧૧ શ્રી રામ ભગવાનની શોભાયાત્રા, ૧૧ થી ૧:૦૦ રામજી મંદિરે મહાઆરતી, બપોરે ૩ થી પ સુંદર કાંડ, પ વાગ્યાથી મહાપ્રસાદ અને રાતે ૯:૦૦ કલાકે લોક ડાયરો યોજાશે જેમાં લોક સાહિત્યકાર મનસુખભાઈ વસોયા જમાવટ કરશે તેમજ ૨૨ તારીખે ઘરે ઘરે રંગોળી કરવી, આસોપાલવના તોરણ બાંધવા, બપોરે ઘરે લાપસી કરવામાં આવશે અને હડમતિયા ગામે શ્રી રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા નીકળશે તેના માટે બધા ગ્રામજનો હાજર રહે સમસ્ત હડમતિયા ગામ તરફથી આમંત્રણ આપવામાં આવેલ છે






Latest News