મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબી અને માળીયાના ધારાસભ્ય દ્વારા કાલથી મંદિરોમાં સફાઈ ઝુંબેશ શરૂ


SHARE













મોરબી અને માળીયાના ધારાસભ્ય દ્વારા કાલથી મંદિરોમાં સફાઈ ઝુંબેશ શરૂ

આગામી દિવસોમાં અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજવાનો છે તે અંતર્ગત મંદિર સફાઈ અભિયાન માટે વડાપ્રધાને આહવાન કયું છે ત્યારે મોરબી માળીયાના ધારાસભ્ય અને તેની ટિમ દ્વારા મંદિરોમાં સફાઈ ઝુંબેશ કાલથી હાથ ધરવામાં આવશે અને મોરબી તેમજ માળીયામાં ધાર્મિક જગ્યાઓએ ૫૦૦૦ જેટલી દિવાલ ઘડિયાળનું ધારાસભ્ય દ્વારા વિતરણ કરવામાં આવશે

મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના જાગૃત, સક્રિય, ધર્મપ્રેમી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત વિસ્તારના તમામ મંદિરોની આસપાસ સ્વચ્છતા રાખવાની ઝુંબેશ અન્વયે પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે. અને પ્રવાસ દરમિયાન તેઓ સ્વખર્ચે સફાઈ સાધનો અર્પણ કરશે તથા ૫૦૦ વર્ષના રામ મંદિરના સંઘર્ષ અન્વયે ૫,૦૦૦ જેટલી ઘડિયાળો તમામ મંદિરો અને ધર્મસ્થાનોમાં ભેટ કરશે આ અભિયાન કાલે તા ૧૮ થી શરૂ કરવામાં આવશે અને પહેલા દિવસે તેઓના વતન જેતપર(મ.) રામજી મંદિર, ખાખરેચી જડેશ્વર મહાદેવ મંદિર, મોટા દહિસર રામજી મંદિર, મહેન્દ્રનગર, હનુમાનજી મંદિર, ધર્મ મંગળ સોસાયટી, CNG પંપની સામે, રામજી મંદિર ભડિયાદ અને ત્રાજપર, નીલકંઠ મહાદેવ મંદિર ખાતે તેઓ જવાના છે અને સફાઈ સાધનો તેમજ ઘડિયાળ આપવામાં આવશે ત્યારે જિલ્લા અને તાલુકા ભાજપના સંગઠનના તમામ હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પક્ષમાં વિવિધ જવાબદારી સંભાળતા તમામ આગેવાનો તથા તમામ આગેવાનો સરપંચઓ તથા તમામ કાર્યકરો હાજર રહેવાના છે






Latest News