હળવદમાં ત્રણ સગાભાઈ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો: એકની હત્યા, એક ગંભીર
મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા ૧૧ દીકરીઓના સમુહલગ્નનું આયોજન
SHARE
મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા ૧૧ દીકરીઓના સમુહલગ્નનું આયોજન
મોરબીમાં છેલ્લા ઘણા સમયથી અનેક સેવાકીય કાર્યો સાથે જોડાયેલ અનસ્ટોપેબલ વોરિયર્સ એનજીઓ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા.૨૦ ને શનિવારના રોજ દ્વિતિય સર્વજ્ઞાતી સમુહ લગ્નોત્સવ યોજાવાના છે જેમાં સંતો મહંતો આગેવાનો સહિતના હાજર રહેવાના છે
મોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ એનજીઓ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ૧૧ દીકરીઓના લગ્ન કરાવવામાં આવનાર છે અને સંતો મહંતો સહિતનાઓની હાજરીમાં તેઓના આશીર્વાદ સાથે નવદંપતિઓ પ્રભુતામાં ડગ માંડવાના છે આ કાર્યક્રમ મોરબીના રવાપર ગામે આવેલ રામેશ્વર ફાર્મ ખાતે યોજાશે અને સાંજે ૪ કલાકે જાનનું આગમન થશે અને ૬ કલાકે હસ્ત મેળાપ તેમજ સાંજે ૭ કલાકે ભોજન સમારોહ યોજાશે ત્યારે મોરબીના પત્રકારોનું આ સંસ્થા દ્વારા સન્માન પણ કરવામાં આવશે