મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના સાપર ગામે ખોટી રીતે માલિકની જમીનમાં અંતરાય ઉભા કરનાર સામે કોર્ટે વાદીની તરફેણમાં કાયમી મનાઈ હુકમ ફરમાવ્યો


SHARE













મોરબીના સાપર ગામે ખોટી રીતે માલિકની જમીનમાં અંતરાય ઉભા કરનાર સામે કોર્ટે વાદીની તરફેણમાં કાયમી મનાઈ હુકમ ફરમાવ્યો

મોરબી તાલુકાના સાપર ગામના રેવન્યુ સર્વે નંબર ૯૨૪ પૈકી ૧ ની નામે "જેતુવારીના મારગે" વાળી હે.આરે.ચો.મી.૨-૦૨-૩૪ તથા સર્વે નંબર ૬૨૪ પૈકી/૧ પૈકી ૧/ પૈકી ૧/ પૈકી ૧ ની જમીન હે.આરે.ચો.મી.૨-૧૦-૪૪ ની મળી કુલ જમીન હે.આરે.ચો.મી.૪-૧૨-૭૮ જેના એ.૧૦-૨૦ ગુઠાની જમીન વાદી શાંતાબેન ખોડાભાઈ અગોલા સાંખે પટેલ એ પ્રતિવાદી સ્વઃજુવાનસિંહ બળવતંસિંહ જાડેજા પાસેથી અલગ-અલગ દસ્તાવેજોથી અઘાટ વેચાણ રાખેલ ત્યારબાદ પ્રતિવાદી સ્વ.જુવાનસિંહ બળવંતસિંહના વારસદાર અશ્વિનસિંહ જુવાનસિંહ જાડેજાએ આ જમીનમાં વાદીને તેમના કબ્જા ભોગવટામાં તથા ખેડતા વાવતામાં અડચણ ઉભી કરતા અને અવાર-નવાર પઝેશનમાં ડીસ્ટબન્સ ઉભુ કરતા હોઈ વાદી શાંતાબેનએ મોરબીના મહે.સિવિલ જજ સમક્ષ આ જમીન વાદીની સ્વતંત્ર હકક, માલીકી તથા કબજા ભોગવટાની છે તેવું ઠરાવી આપવા તથા સદરહું જમીનમાં પ્રતિવાદી અડચણ, અંતરાય કે ડીસ્ટર્બન્સ ઉભા ન કરે તેવો કાયમી મનાઈ હુકમ મેળવવા રે.દિવાની કેશ નં-૭૩/૨૦૧૨ થી દાવો દાખલ કર્યો હતો.

આ દાવા ના કામે બન્ને પક્ષકારોનો પુરાવો લેવાઈ ગયા બાદ નામદાર શ્રીમતિ ચાંદનીબેન યુવરાજસિંહ જાડેજા (એડિશ્નલ સિવિલ જજ) સાહેબે વાદીનો પુરાવો તથા વાદીના વકીલ એડ.નિકુંજ કોટકની દલીલો સંપુર્ણ પણે ગ્રાહય રાખી દાવાનો હુકમ વાદીની તરફેણમાં કરી આપેલ છે.આ હુકમમાં નામદાર કોર્ટે વાદીનો દાવો મંજુર કરી દાવા વાળી જમીન વાદીની સ્વતંત્ર હકક, માલીકી તથા કબ્જા ભોગવટાની છે.તેવું ઠરાવી આપેલ અને સદરહું જમીનમાં પ્રતિવાદીએ કોઈપણ જાતની દખલગીરી કે અડચણ કે અંતરાય કે ડિસ્ટર્બન્સ ઉભો કરવાનો કોઈપણ જાતનો હકક કે અધિકાર નથી તેવો કાયમી મનાઈ હુકમ ફરમાવવામાં આવેલ અને પ્રતિવાદીએ વાદીની કબ્જા ભોગવટાની જમીનમાં વાદીને ખેડતા વાવતા કે તેના મજુબ કે દાડીયાને ઉપજ-નિપજ લેવામાં પ્રતિવાદી પોતે કે તેના એજન્ટ, મુખત્યાર મારફત કે તેના માણસો મારફત અટકાવે નહિ તેવો કાયમી મનાઈ હુકમ ફરમાવવા પ્રતિવાદી વિરુધ્ધ હુકમ કરેલ છે.આ દાવાના કામે વાદી પક્ષે મોરબીના જાણીતા સિનિયર એડવોકેટ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક રોકાયેલા હતા.






Latest News