મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યોએ ૨૨ મી જાન્યુઆરીએ સરકારી કચેરીમાં રજાની કરી માંગ


SHARE













મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યોએ ૨૨ મી જાન્યુઆરીએ સરકારી કચેરીમાં રજાની કરી માંગ

આગામી ૨૨ મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે આ ક્ષણને સરકારી કચેરીમાં ફરજ બજાવતા અધિકારી અને કામચરી પણ તેઓના પરિવાર સાથે માણી શકે તે માટે મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યોએ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરીને ૨૨ મી જાન્યુઆરીના રોજ રાજ્યની સરકારી કચેરીઓમાં રજાની માંગ કરેલ છે તે ઉપરાંત મોરબી અને હળવદના ધારાસભ્યએ તો તે દિવસે માસ-મદિરાના વેચાણ ઉપર પ્રતિબંધની પણ માંગ કરી છે.

મોરબી જિલ્લાની મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, હળવદ ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખવામાં આવેલ છે જેમાં લખ્યું છે કે, આગામી તા ૨૨ મી જાન્યુયારીના દિવસે ભગવાન શ્રીરામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે ઐતિહાસિક દિવસે સમગ્ર રાજ્યમાં સરકારી કચેરીમાં રજા રાખવામા આવેલ તેવી માંગ કરી છે તેમજ મોરબી અને હળવદના ધારાસભ્યે તો રાજ્યમાં તે દિવસે માસ અને મદિરાનું વેચાણ બંધ રાખવા તાત્કાલિક પ્રતિબંધાત્મક આદેશ કરવાની માંગ કરી છે






Latest News