મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં વાળીનાથ શિવયાત્રાની પધરામણી: ભવ્ય શોભાયાત્રા યોજાઈ


SHARE













મોરબીમાં વાળીનાથ શિવયાત્રાની પધરામણી: ભવ્ય શોભાયાત્રા યોજાઈ

મહેસાણા જીલ્લાના વિસનગર નજીક આવેલ તરભ ખાતે વાળીનાથ મહાદેવના દિવ્ય દરબારમાં નિર્માણ પામેલ શિવધામમાં પ્રસ્થાપિત થનાર અતિપાવન મહાશિવલિંગના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આગામી ફેબ્રુઆરી મહિનામાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે છેલ્લા બે થી ત્રણ મહિના જેટલા સમયથી વાળીનાથ મંદિરના મહંત જયરામગીરી બાપુની નિશ્રામાં નૂતન શિવાલયમાં પ્રસ્થાપિત થનાર પાવન કલ્યાણકારી મહાશિવલિંગનું ગુજરાતના શહેરોમાં પરિભ્રમણ થઈ રહ્યું છે. દરમ્યાન આ યાત્રા મોરબી પહોંચી હતી ત્યારે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ દ્વારા આ શિવયાત્રાનું સ્વાગત કરીને ભવ્ય શોભાયાત્રા અને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાલપરથી મકનસર સુધી અનેક ગાડીઓના કાફલા સાથે શોભાયાત્રા નીકળી હતી અને તેમાં મચ્છુકાંઠા રબારી સમાજનાં લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મકનસર ખાતે વાળીનાથ અખાડાના કોઠારી દશરથગીરીબાપુની નિશ્રામાં ધર્મસભા યોજાઈ હતી ત્યારબાદ અતિ પાવનકારી મહાશિવલિંગ ઉપર ૨૧ જેટલા યજમાનો દ્વારા રૂદ્રાભિષેક કરવામાં આવ્યો હતો અને શિવલિંગની મહાઆરતી કરવામાં આવી હતી.






Latest News