મોરબીના સોખડા ગામ પાસે યુવાને કારખાનાના કવાર્ટરમાં ન કરવાનું કર્યું
મોરબીની ઉમા ટાઉનશીપમાં રહેતી પરિણીતાએ ઘરમાં કોઈ કારણોસર અંતિમ પગલું ભર્યું
SHARE
મોરબીની ઉમા ટાઉનશીપમાં રહેતી પરિણીતાએ ઘરમાં કોઈ કારણોસર અંતિમ પગલું ભર્યું
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપમાં રહેતી મહિલા કોઈ કારણોસર પોતે પોતાના ઘરે ઝેરી દવાના ટીકડા ખાઈ ગઈ હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ખાનગી હોસ્પિટલે સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી કરીને હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ ઉમા ટાઉનશીપ ખાતે રહેતા લતાબેન નિલેશભાઈ આદ્રોજા (૩૫) નામના મહિલા પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ઝેરી દવાના ટીકડા ખાઈ ગયા હતા જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયુ હોતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે
આધેડનું મોત
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ભડિયાદ કાંટા પાસે આવેલ જવાહર સોસાયટીમાં રહેતા અરુણકુમાર ગંગારામભાઈ જ્યોતિકર (૫૩) નામના આધેડને પોતે પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતાં તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી તેને વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે









