મોરબીના ખોખરા હનુમાન હરીહર ધામ ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીના હસ્તે સંત નિવાસનું ભૂમિ પૂજન કરાયું
મોરબીમાં જમવાનું માંગતા થયેલ માથાકૂટમાં આરોપીનો નિર્દોષ છુટકારો
SHARE
મોરબીમાં જમવાનું માંગતા થયેલ માથાકૂટમાં આરોપીનો નિર્દોષ છુટકારો
મોરબીના વીસીફાટક નજીક જમવાનું માંગતા માથાકૂટ થઈ હતી જે બનાવમાં હત્યાની કોશિષની ફરિયાદ નોંધાયેલ હતી અને આ કેસમાં મોરબીના યુવા વકીલ શહેનાઝબેન ડી. સુમરા રોકાયા હતા આ ગુનામાં આરોપી સામે આઇપીસી કલમ ૩૦૭ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે.
આ કેસ ચાલવા માટે મોરબીના યુવા વકીલ શહેનાઝબેન ડી. સુમરા રોકાયા હતા. જે કેસમાં વકીલની ધારદાર દલીલો તથા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેટો રજુ કરવામાં આવ્યા હતા અને તેને ધ્યાને લઈને મોરબીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ દ્વારા આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કેસમાં મોરબીના સીનીયર ધારાશાસ્ત્રી જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા, રાજવીબેન ઓઝા, યુવા વકીલ દેવીપ્રસાદ કે. જોષી અને શહેનાઝબેન સુમરા રોકાયેલ હતા.