મોરબીમાં જમવાનું માંગતા થયેલ માથાકૂટમાં આરોપીનો નિર્દોષ છુટકારો
ટંકારામાં પીએમ વિશ્વકર્મા યોજનાની અરજી માટે લાંચના ગુનામાં આરોપી જામીન મુક્ત
SHARE
ટંકારામાં પીએમ વિશ્વકર્મા યોજનાની અરજી માટે લાંચના ગુનામાં આરોપી જામીન મુક્ત
દેશભરમાં પીએમ વિશ્વકર્મા યોજનાની અરજી વિનામૂલ્યે કરવામાં આવે છે જો કે, મોરબી જિલ્લાના ટંકારામાં તેના માટે ૨૦૦ રૂપિયા લેવામાં આવતા હોવાની એસીબીની ટીમને ફરિયાદ મળી હતી જેથી કરીને ટંકારામાં કોમન સર્વિસ સેન્ટર ચલાવતા યુવાને અરજી કરવાના ૨૦૦ રૂપિયા લેતાની સાથે પકડી લેવામાં આવેલ હતો જે આરોપીના જામીન માટે મોરબીની કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલની દલીલને ધ્યાને રાખીને આરોપીને જામીન મુક્ત કરવામાં આવેલ છે
ટંકારાના લતીપર રોડ ઉપર આવેલ દ્વારકાધીશ કોમ્પ્લેક્ષમાં દુકાન નંબર-૧૦મા કોમન સર્વિસ સેન્ટર (C.S.C) ચલાવતા મૂળ નાનાખિજડીયા ગામના રહેવાસી અને હાલમાં ટંકારાની લક્ષ્મીનારાયણ નગર સોસાયટી નંબર-૫ માં ભાડાના મકાનમાં રહેતા જીતેન્દ્રકુમાર પ્રવિણભાઇ ચોહાણ (૩૮)ને વિનામુલ્યે કરવાની અરજી માટે ૨૦૦ રૂપિયા લેતા એસીબીની ટીમે ઝડપી લીધો હતો અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી આ ગુનામાં પકડાયેલા આરોપીએ વકીલ ટી.બી દોશી મારફતે મોરબીની સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરેલ હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને આરોપીના રેગ્યુલર જામીન મુક્ત કરવા હુકમ કરલે છે આ કેસમાં વકીલ ટી.બી દોશી, અમિતભાઈ જાની, કે.ડી. સંખેસરિયા, રાહુલભાઈ ડાંગર અને કેતનભાઇ ચૌહાણ રોકાયેલ હતા