મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી મોરબીમાં અનુજાતીના વ્યક્તિને મકાન ભાડે આપનારા વૃદ્ધને મકાન ખાલી કરાવવા માટે બે શખ્સોએ ફોન ઉપર આપી ધમકી માળીયા (મી)ના કુંભારિયાથી લૂંટવદર ગામે ભાઈને લેવા માટે જતાં ભાઈને રસ્તમાં કાળનો ભેટો: બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હળવદના ટીકર ગામનો બનાવ: ઘરધાણી મીઠાની ખેતી કરવા ગયા અને તસ્કર ઘરમાંથી સોનાના દાગીના ચોરી કરીને 3.94 લાખનું ખાતર પાડી ગયો
Breaking news
Morbi Today

મોરબી પાલિકાને મહાપાલિકાનો દરજ્જો આપવાની સરકારની જાહેરત: ધારાસભ્યની હાજરીમાં સાંજે આતિશબાજી 


SHARE













મોરબી પાલિકાને મહાપાલિકાનો દરજ્જો આપવાની સરકારની જાહેરત: ધારાસભ્યની હાજરીમાં સાંજે આતિશબાજી 

મોરબી પાલિકાને મહાપાલિકા આપવાની માંગ છેલ્લા ઘણા સમયથી થઈ રહી હતી તેવામાં આજે ગુજરાતનું જે બજેટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં મોરબી સહિત કુલ આઠ પાલિકાને મહાપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવેલ જેથી કરીને હાલમાં મોરબીના લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે અને આગામી સમયમાં સારામાં સારી સુવિધાઓ મળશે તેવી સહુ કોઈ લાગણી વ્યકત કરી રહ્યા છે

મોરબીન આસપાસમાં વિશ્વ કક્ષાનો સીરામીક ઉદ્યોગ આવેળ છે તેની સાથે અન્ય ઉદ્યોગ પણ આવે છે જેમાં રોજગાર માટે બહારથી ઘણા પરિવારો આવતા હોય છે ત્યારે મોરબીના લોકોને સારામાં સારી સુવિધા મળે તેના માટે છેલ્લા ઘણા વર્ષોથી મોરબી પાલિકાને મહાપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી હતી અને રાજકીય આગેવાનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી તેવામાં ગુજરાતનાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે બજેટ રજૂ કરેલ છે તેમાં વર્ષ ૨૦૨૩-૨૪ માં મોરબી સહિત કુલ આઠ પાલિકાને મહાપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવેલ છે હાલમાં મોરબી ઉપરાંત નવસારી, ગાંધીધામ, વાપી, સુરેન્દ્રનગર, આણંદ અને મહેસાણાને પાલિકામાંથી મહાપાલિકાનો દરજ્જો આપવા જાહેરાત કરી છે

અત્રે ઉલેખનીય છેકે, ૧/૪/૧૯૫૦ થી મોરબી પાલિકા અસ્તિત્વમાં આવી હતી અને તેના પાલિકા પ્રમુખ પ્રાણલાલભાઈ પી. દોશી હતા અને ત્યાંથી લઈને આજ સુધીમા કુલ મળીને ૬૭ પ્રમુખ પાલિકામાં આવ્યા છે જેમાં છેલ્લા પ્રમુખ કુસુમબેન કરમશીભાઈ પરમાર હતા વધુમાં મળતી માહિતી મુજબ મોરબી પાલિકામાં અત્યાર સુધીમાં ૬ વખત વહીવટદારનું શાસન આવ્યું હતું જેમાં ૧૯૮૪, ૧૯૯૨ ૧૯૯૯, ૨૦૦૦, ૨૦૦૫ અને ૨૦૨૩ ના વર્ષનો સમાવેશ થાય છે હાલમાં મોરબી પાલિકાને મહાપાલિકા બનાવવામાં આવતા લોકોમાં હર્ષની લાગણી છે ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબીના નાગર દરવાજા ચોકમાં સાંજે પાંચ વાગ્યે આતિશબાજી કરીને સરકારે કરેલ જાહેરાતને વધાવવામાં આવશે ત્યારે ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો શાઈત્ન નગરજનો હાજર રહેશે






Latest News