મોરબી મહાપાલિકા બનતા ધારાસભ્યની હાજરીમાં શહેર ભાજપ દ્વારા નગર દરવાજા ચોકમાં આતિશબાજી
મોરબીમાંથી લગ્નની લાલચે સગીરાને લઈ જઈને દુષ્કર્મ આચારનારા આરોપીને ૧૨ વર્ષની સજા
SHARE
મોરબીમાંથી લગ્નની લાલચે સગીરાને લઈ જઈને દુષ્કર્મ આચારનારા આરોપીને ૧૨ વર્ષની સજા
મોરબી શહેરમાં વર્ષ 2014 માં સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવી હતું જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો તેમાં કોર્ટે દુષ્કર્મ આચારનારા આરોપીને ૧૨ વર્ષની સજા ફટકારી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં વર્ષ ૨૦૧૪ મા સાડા સતર વર્ષની સગીરાને જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામનવાડી ગામનો શખ્સ રાજેશ ઉર્ફે મુન્નો ઉર્ફે સિંધુ નાનજીભાઈ ચાવડા (૪૪) નામનો લગ્નની લાલચ આપીને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો અને સગીરા સાથે તેને દુષ્કર્મ આચર્યું હતું જેની ફરિયાદ આધારે આરોપીને પકડ્યો હતો અને આ કેસ મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી જતા કોર્ટે ૧૩ મૌખિક અને ૩૪ દસ્તાવેજી પુરાવાઓ તેમજ મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી.દવે અને નીરજભાઈ ડી. કારીયાની દલીલોને ધ્યાને લઇને આરોપી રાજેશ ઉર્ફે મુન્નો ઉર્ફે સિંધુ નાનજીભાઈ ચાવડાને ૧૨ વર્ષની સજા અને ૨૨ હજારનો દંડ કર્યો છે અને ભોગ બનેલ સગીરાને ૨,૬૨,૫૦૦ નું વળતર આપવા તેમજ આરોપી દંડની રકમ ભરે તો તે રકમ પણ ભોગ બનનારને આપવા હુકમ કરેલ છે