માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીમાંથી લગ્નની લાલચે સગીરાને લઈ જઈને દુષ્કર્મ આચારનારા આરોપીને ૧૨ વર્ષની સજા


SHARE













મોરબીમાંથી લગ્નની લાલચે સગીરાને લઈ જઈને દુષ્કર્મ આચારનારા આરોપીને ૧૨ વર્ષની સજા

મોરબી શહેરમાં વર્ષ 2014 માં સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવી હતું જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો તેમાં કોર્ટે દુષ્કર્મ આચારનારા આરોપીને ૧૨ વર્ષની સજા ફટકારી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં વર્ષ ૨૦૧૪ મા સાડા સતર વર્ષની સગીરાને જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામનવાડી ગામનો શખ્સ રાજેશ ઉર્ફે મુન્નો ઉર્ફે સિંધુ નાનજીભાઈ ચાવડા (૪૪) નામનો લગ્નની લાલચ આપીને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો અને સગીરા સાથે તેને દુષ્કર્મ આચર્યું હતું જેની ફરિયાદ આધારે આરોપીને પકડ્યો હતો અને આ કેસ મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી જતા કોર્ટે ૧૩ મૌખિક અને ૩૪ દસ્તાવેજી પુરાવાઓ તેમજ મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી.દવે અને નીરજભાઈ ડી. કારીયાની દલીલોને ધ્યાને લઇને આરોપી રાજેશ ઉર્ફે મુન્નો ઉર્ફે સિંધુ નાનજીભાઈ ચાવડાને ૧૨ વર્ષની સજા અને ૨૨ હજારનો દંડ કર્યો છે અને ભોગ બનેલ સગીરાને ૨,૬૨,૫૦૦ નું વળતર આપવા તેમજ આરોપી દંડની રકમ ભરે તો તે રકમ પણ ભોગ બનનારને આપવા હુકમ કરેલ છે 






Latest News