મોરબીમાં વાવડી કન્યા શાળા ખાતે મેડિકલ કેમ્પ યોજ્યો મોરબીના બગથળા ગામે નકલંક મંદિરના મંહત દામજી ભગતના હસ્તે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ મોરબીમાં તૂટી ગયેલો ઝુલતો પુલ ફરી પાછો બાંધવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત મોરબી સીરામીક એસો.ના આગેવાનો ધારાસભ્યની સાથે મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીને ગાંધીનગરમાં મળ્યા: સિરામિક ઉદ્યોગની સ્થિતિ વિશે કરી વિસ્તૃત ચર્ચા ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીનો પોલીપેક ઉદ્યોગમાં વપરાતા પ્લાસ્ટિક દાણાના ભાવમાં પ્રતિ કિલોએ 50 ટકાથી વધુનો વધારો મોરબી જિલ્લા કક્ષાના મહિલા દિવસની ઉજવણી સાથે આજે મહિલા સંમેલન-સન્માન સમરોહ યોજાયો મોરબીમાં ભરણપોષણનો કેસ કરનાર પરણીતાના ઘરે જઈને પતિ સહિત બે વ્યક્તિઓએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી હળવદના ઇંગોરાળા મયાપુર રોડ ઉપરથી 300 બિયરના ટીન ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા: 2.63 લાખનો મુદ્દામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરના સર્કલ ઓફીસર ઉપર હુમલો-ફરજ રૂકાવટના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ છુટકારો


SHARE













વાંકાનેરના સર્કલ ઓફીસર ઉપર હુમલો-ફરજ રૂકાવટના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ છુટકારો

વાંકાનેર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફીસરની ઉપર હુમલો તથા ફરજ રુકાવટની ફરિયાદ કરવામાં આવી હતી જે કેસ કોર્ટમાં ચાલી જતાં તેમાં શીવ શકિત રોડવેઝના માલીકોનો નીર્દોષ છુટકારો થયેલ છે

વાંકાનેર તાલુકા પોલીસને તા ૧૫/૫/૨૦૧૯ ના રોજ ફરીયાદી વાંકાનેરના સર્કલ ઓફીસર તરીકે ફરજ બજાવતા હોય અને માટેલ-વીરપર સંયુક્ત ગ્રામ પંચાયત દ્વારા તા. ૩૦/૦૧/૨૦૧૯ ની ફરીયાદ અનુંસંધાને સ્થળ તપાસ કરવા જતા માટેલ ગામે આવેલ સરકારી જમીનમાંથી આરોપીઓ ગેરકાયદે ખનીજનું ખનન કરવામાં આવતુ હોય તે કામગીરી અટકાવવા અને કાયદેસરની કાર્યવાહી કરવા જતા આ તમામ આરોપીઓએ એકસંપ થઈ સરકારી કર્મચારી પર હુમલો કરી લાકડી વતી માર મારીને સરકારી ફરજમાં રુકાવટની ફરિયાદ નોંધાવેલ હતી જેથી આરોપીઓ મુન્નાભાઈ જીવભા ઝાલા, બલભદુસીંહ જીવુભા ઝાલા અને ઘેલુભા જીવુભા ઝાલાનાઓની ધરપકડ કરી હતી આ કેસ વાંકાનેરના જયુડી. મેજી. સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો તેમાં આરોપી વતી મોરબી જીલ્લાના યુવા ધારાશાસ્ત્રી જીતેનભાઈ અગેચાણીયા રોકાયેલ હતા આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદી, અન્ય સાહેદો, પંચો, ડોકટર તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલ તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વીરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના સરકારી સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. આ ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ જીતેનભાઈ અગેચાણીયાની તમામ દલીલો ધ્યાને રાખીને કોર્ટે તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપભાઈ આર. અગેચાણીયા, યુવાન એડવોકેટ જીતેન ડી.અગેચાણીયા, જે.ડી. સોલંકી, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલ હતા.




Latest News