મોરબીમાં વાવડી કન્યા શાળા ખાતે મેડિકલ કેમ્પ યોજ્યો મોરબીના બગથળા ગામે નકલંક મંદિરના મંહત દામજી ભગતના હસ્તે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ મોરબીમાં તૂટી ગયેલો ઝુલતો પુલ ફરી પાછો બાંધવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત મોરબી સીરામીક એસો.ના આગેવાનો ધારાસભ્યની સાથે મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીને ગાંધીનગરમાં મળ્યા: સિરામિક ઉદ્યોગની સ્થિતિ વિશે કરી વિસ્તૃત ચર્ચા ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીનો પોલીપેક ઉદ્યોગમાં વપરાતા પ્લાસ્ટિક દાણાના ભાવમાં પ્રતિ કિલોએ 50 ટકાથી વધુનો વધારો મોરબી જિલ્લા કક્ષાના મહિલા દિવસની ઉજવણી સાથે આજે મહિલા સંમેલન-સન્માન સમરોહ યોજાયો મોરબીમાં ભરણપોષણનો કેસ કરનાર પરણીતાના ઘરે જઈને પતિ સહિત બે વ્યક્તિઓએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી હળવદના ઇંગોરાળા મયાપુર રોડ ઉપરથી 300 બિયરના ટીન ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા: 2.63 લાખનો મુદ્દામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેર જોગજતી હનુમાનજી ગુફાની જગ્યા ખાતે આજે ગુરુદેવ રણછોડદાસ બાપૂની ૩૮ મી પુણ્યતિથીએ ભક્તિ ભોજન અને ભજનનો ત્રિવિધ કાર્યક્રમ યોજાશે


SHARE













વાંકાનેર જોગજતી હનુમાનજી ગુફાની જગ્યા ખાતે આજે ગુરુદેવ રણછોડદાસ બાપૂની ૩૮ મી પુણ્યતિથીએ ભક્તિ ભોજન અને ભજનનો ત્રિવિધ કાર્યક્રમ યોજાશે

વાંકાનેરમા ધમલપર ખાતે રામટેકરી પર આવેલ સુપ્રસિદ્ધ જોગજતી હનુમાનજી ગુફાની જગ્યા ખાતે પ.પુ.૧૦૦૮ ગુરૂદેવશ્રી રણછોડદાસબાપુની ૩૮ મી પુણ્યતિથિ આજે તા.૪ ને સોમવારના રોજ ઉજવાશે.તા ૪ ને સોમવારના રોજ સવારે ૮ કલાકે હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞનો પ્રારંભ થશે.જે યજ્ઞનુ બીડુ સાંજે  ૪ : ૩૦ કલાકે હોમાશે.તૅમજ સાંજે ૬ વાગ્યાથી મહાપ્રસાદનુ આયોજન કરેલ છે.

તૅમજ રાત્રીના ૧૦ કલાકે સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે.જેમાં ગુજરાત, સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ કલાકાર વિજય ગઢવી, ભાવેશ પટેલ, ભૂરા ભગત, નિકુંજ અગ્રાવત વગેરે સાથીદારો સાથે અનેરા સંગીતની શેલી સાથે સંતવાણી ભજનોની રંગત જમાવશે. પ્રતિ વર્ષ શ્રી જોગજતી હનુમાનજી ગુફાની જગ્યા ખાતે પ.પુ સદગુરૂદેવશ્રી રણછોડદાસજીબાપુની પુણ્યતિથિના પાવન પ્રંસગે વાંકાનેર શહેર, મોરબી, ડાકોર ઝાલાવાડ, કચ્છ, જામનગર, રાજકોટ, સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાતમાંથી દૂર દૂરથી ભાવિકો દર્શનાથેં પધારે છે અને ભજન, ભોજન, અને સતસંગ અને યજ્ઞના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. તૅમજ સાંજે મહાપ્રસાદમા હજારો ભાવિકો મહાપ્રસાદ લેશે.આ દિવ્ય પાવન મહોત્સવ પ્રંસગે સમગ્ર મંદિરને અનેરા લાઈટ ડેકરોશન રોશની, સિરીઝોથી શુભોષિત કરવામાં આવેલ છે અને વિશાળ સમીયાળો ઉભો કરવામાં આવેલ છે શ્રી જોગ જતી હનુમાનજી ગુફાની જગ્યામા નિજ મંદિરમા વિવિધ જાતના પુષ્પોથી સજાવટ કરવામાં આવશે આ દિવ્ય મહોત્સવને સફળ બનાવવા શ્રી જોગજતી હનુમાનજી ગ્રુપના દરેક ભાવિક, ભક્તજનો જહેમત ઉઠાવી રહયા છે ભાવિકોમાં અનેરો ઉત્સાહ, ઉમંગ જોવા મળી રહયો છે આ દિવ્ય પાવન પુણ્યશાળી અવસરે સર્વ ભાવિક, ભક્તજનોને પધારવા અને મહા પ્રસાદ લેવા શ્રી જોગજતી ગૃપ, શ્રી જોગજતી હનુમાનજી ગુફાની જગ્યા, રામ ટેકરી, ધમલપર-૨ દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે.




Latest News