મોરબીમાં વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન
SHARE









મોરબીમાં વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન
૧૯ માર્ચ એટલે કે વિશ્વ વિકલાંગ (દિવ્યાંગ) દિવસ નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. "દિવ્યાંગને હું શું શું મદ્દદ કરીશ" સ્પર્ધામાં ભાગ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.સમાજમાં દિવ્યાંગ વ્યક્તિઓને સહાનુભૂતિ આપીને નહિં પણ સહારો બનીને મદ્દદરૂપ થવાના હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા તા.૧૯-૪ -3 નાં રોજ વિશ્વ વિકલાંગ (દિવ્યાંગ) દિવસનાં અનુસંધાને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.આ વક્તૃત્વ સ્પર્ધાનો વિષય છે. "દિવ્યાંગોને હું શું શું મદ્દદ કરીશ" નો વિડીયો બનાવીને સ્પર્ધામાં ભાગ લઇ શકાશે.
જેમા જુદીદુદી કેટેગરી રાખવામાં ઈવેલ છે તેમા ધો.૧ થી ૪, ધો.૫ થી ૮, ધો.૯ થી ૧૨ અને કોલેજ સ્ટુડન્ટ, શિક્ષક મિત્રો તથા વાલી માટે સ્પર્ધા યોજવામાં આવેલ છે.વિડીઓ મહત્તમ એકથી ત્રણ મીનીટની સમય મર્યાદાનો બનાવવાનો રહેશે.આપનાં વિચારોનો વિડીઓ બનાવી મોકલી આપવાના રહેશે.છેલ્લી તા.૧૯ ના સાંજના ૬ વાગ્યા સુધીમાં મોબાઈલ નંબર ૯૮૨૪૯ ૧૨૨૩૦ અથવા ૯૭૨૭૯ ૮૬૩૮૬ પૈકી કોઈપણ એક નંબર ઉપર વિડીઓ મોકલી આપવાનો રહેશે.તેમ સંચાલક એલ.એમ.ભટ્ટ તથા દિપેનભાઈ ભટ્ટએ યાદીમાં જણાવેલ છે.

