હળવદના ટીકર ગામે વાડી ઝેરી જનાવર કરડી જતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે આધેડનું હાર્ટ એટેકથી આધેડનું મોત માળીયા કચ્છ હાઇવે રોડ ઉપર બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા મહાસતીજી સહિત કુલ બે વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબીના રાજપર (કું) ગામના મહિલા સરપંચને સસ્પેન્ડ કરાવવાની ગર્ભિત ધમકી: બે સામે ફરિયાદ મોરબી નજીક ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનના મોત મામલે ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો હળવદના ઘનશ્યામપુર ગામે વાડી નજીક જુગાર રમતા 7 શખ્સો પકડાયા હળવદના નવા માલણીયાદ ગામે વાડીએ દાતરડાનો ઘા ઝીકિને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ હળવદના નવા માલણીયાદ ગામે બોલાચાલી બાદ દાતરડાનો ઘા ઝીકિને આધેડે કરી નાખી પત્નીની હત્યા મોરબીમાં કોરોના સમયે સિરામિક ઉદ્યોગપતિએ લીધેલ સારવારનો ૭.૯૬ લાખનો વીમો વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ
Breaking news
Morbi Today

હળવદના નવા માલણીયાદ ગામે વાડીએ દાતરડાનો ઘા ઝીકિને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ


SHARE







હળવદના નવા માલણીયા ગામે વાડીએ દાતરડાનો ઘા ઝીકિને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ

હળવદના નવા માલણીયાદ ગામની સીમમાં આધેડને તેની પત્ની સાથે બોલાચાલી થઈ હતી ત્યારે આવેશમાં આવીને આધેડે તેની પત્નીને છાતીના ભાગે દાતરડાનો ઘા ઝીકિ દીધો હતો જેથી મહિલાનું મોત નીપજ્યું હતું અને ત્યાર બાદ મૃતક મહિનાના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક મહિલાના દીકરાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે મહિલાની હત્યા કરનારા તેના પતિની સામે ગુનો નોંધીને ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદના નવા માલણીયાદ ગામની સીમમાં મગનભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતાં મૂળ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રહેવાસી વરસીભાઈ નાયકા તેઓના પત્ની માસુડીબેન તથા દીકરા અને દીકરાની વહુ સાથે રહેતા હતા દરમિયાન કોઈ કારણોસર વરસીભાઈને તેઓના પત્ની સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારે વરસીભાઈએ તેની પત્નીને છાતીને ભાગે દાતરડાનો ઘા મારી દીધો હતો જેથી માસુડીબેન (55) નું મોત નીપજ્યું હતું ત્યાર બાદ મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

ઉલ્લેખની છે કે, આધેડે તેની પત્નીને છાતીના ભાગે દાતરડું મારીને રાત્રિના સમયે હત્યા કરી નાખી હતી ત્યારબાદ ત્યાંથી ભાગી જવાના બદલે આખી રાત તે પોતાની પત્નીની લાશ પાસે બેઠા રહ્યા હતા અને બીજા દિવસે સવારે વાડીએ અન્ય શ્રમિક આવ્યા ત્યારે મહિલાની હત્યા થઈ હોવાની માહિતી સામે આવી હતી. હાલમાં બનાવ સંદર્ભે મૃતક મહિલાના દીકરા રોહિતભાઈ વરસીભાઈ નાયક (25)ની ફરિયાદ લઈને મૃતક મહિલાના પતિ વરસીભાઈ જાડિયાભાઈ નાયક સામે હત્યાનો ગુનો નોંધીને પોલીસ ગણતરીની કલાકોમાં હત્યારા પતિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.






Latest News