મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં વીજપોલ વળતર આંદોલન પાર્ટ 3: મોરબીના જેતપર ગામે આજે સૌરાષ્ટ્રના 12 જિલ્લાના ખેડૂત આગેવાનો સાથે મહત્વ પૂર્ણ બેઠક મોરબીમાં યોગા કરીને ઘરે આવેલ યુવતીનું મોત: ખાનગી હોસ્પિટલના કવાર્ટરમાંથી બેભાન હાલતમાં મળેલ નર્સનું મોત: ઇંગોરાળા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા મહિલાનું સારવારમાં મોત મોરબીના રાજપર નજીક લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત: લક્ષ્મીનગર ગામ નજીક વાડીએ ઉલ્ટી થયા બાદ 7 વર્ષના બાળકનું મોત હળવદના ટીકર ગામે વાડી ઝેરી જનાવર કરડી જતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે આધેડનું હાર્ટ એટેકથી આધેડનું મોત માળીયા કચ્છ હાઇવે રોડ ઉપર બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા મહાસતીજી સહિત કુલ બે વ્યક્તિને ઇજા થતાં સારવારમાં
Breaking news
Morbi Today

હળવદના ટીકર ગામે વાડી ઝેરી જનાવર કરડી જતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે આધેડનું હાર્ટ એટેકથી આધેડનું મોત


SHARE







હળવદના ટીકર ગામે વાડી ઝેરી જનાવર કરડી જતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે આધેડનું હાર્ટ એટેકથી આધેડનું મોત

હળવદના ટીકર ગામે વાડી વિસ્તારમાં યુવાનને કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જે બનાવની મૃતક યુવાનના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ટીકર ગામની સીમમાં આવેલ કાનજીભાઈ સંતોકીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સંજયભાઈ કાંતિયાભાઈ ભીલ (18) નામનો યુવાન રાત્રિના સમયે રાજેશભાઈ કાચરોલાની વાડીએ હતો ત્યારે ત્યાં તેને કોઈ ઝેરી જનાવર કરડી જવાના કારણે યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના પિતા કાંતિયાભાઈ ભીલ (55) રહે. હાલ ટીકર ગામની સીમ કાનજીભાઈ સંતોકીની વાડીએ તાલુકો હળવદ વાળાએ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હાર્ટ એટેકથી આધેડનું મોત

વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે રોડ પર આવેલ મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા (55) વર્ષના આધેડ બેભાન હાલતમાં મળી આવ્યા હતા જેથી તેને 108 મારફતે સારવાર માટે ચોટીલાની સરકારી હોસ્પિટલ ખાતે બેભાન હાલત લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને હાર્ટ એટેકથી આધેડનું મોત નીપજયું હોવાનું સામે આવ્યું હોય તે અંગેની જાણ હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News