વાંકાનેરના કોટડા નાયણી ગામ પાસેથી એલસીબીની ટીમે કારમાંથી 836 બોટલ દારૂ પકડ્યો, 8.10 લાખનો મુદામાલ કબ્જે માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસે ડિવાઇડર કૂદીને ડમ્પર ટ્રકમાં અથડાતાં બંને વાહનમાં લાગી આગ, એક ડ્રાઈવરનું મોત: એક સારવારમાં હળવદના સુરવદર ગામ પાસે અજાણ્યા ટ્રેકટર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત હવે જો કપચીના પૈસા માંગશો તો પતાવી દેશુ: હળવદના સાપકડા ગામે યુવાનને બે શખ્સોએ આપી ધમકી મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત: જોધપર નદી ગામે વોકડામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો હળવદ-મોરબીમાં જુગારની 4 રેડમાં 12 શખ્સો પકડાયા વળતર માટેના નવા પરિપત્રનો વિરોધ: મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીથી કલેકટર કચેરી સુધી મંગળવારે ખેડૂતોની પદયાત્રાનું આયોજન માળીયા (મી)ના ખાખરેચી ગામે ફોન ઉપર થયેલ બોલાચાલીનો ખાર રાખીને મહિલા સહિત ત્રણ વ્યક્તિઓએ યુવાનને અને તેની બહેનને માર માર્યો
Breaking news
Morbi Today

હળવદના સુરવદર ગામ પાસે અજાણ્યા ટ્રેકટર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત


SHARE







હળવદના સુરવદર ગામ પાસે અજાણ્યા ટ્રેકટર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત

હળવદના સુરવદર ગામ પાસે યુવાનને અજાણ્યા ટ્રેકટર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને શરીરે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તે યુવાનનું મોત નીપજયું  હતું ત્યારબાદ મૃતક યુવાનના પિતાએ ઝારખંડ રાજ્યમાં ફરિયાદ નોંધાવી હોય તે ઝીરો નંબરથી કરવામાં આવેલ ફરિયાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવતા પોલીસે અજાણ્યા ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ઝારખંડના વિશ્વાસટોલા નેજાબ ગામના રહેવાસી માસુમઅલી નઝરુલ ઇસલામ (53)એ હાલમાં અજાણ્યા ટ્રેક્ટર ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે જેમાં તે જણાવ્યૂ છે કે, હળવદ તાલુકાના સુરવદર ગામની સીમમાંથી તેઓનો દીકરો શાનરેજા માસુમઅલી ઈસલામ (19) ગત તા. 3/12/25 ના રોજ રાત્રિના સમયે પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈપણ સમયે કોઈપણ અજાણ્યા ટ્રેક્ટર ચાલાકે અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીના દીકરા શાનરેજાને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ તેનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુના નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાહન અકસ્માત
મોરબીની પંચાસર ચોકડી પાસે વાહન અકસ્માત થયો હતો. જે બનાવમાં ઇજા થતાં મોમજીભાઈ મુન્નાભાઈ ચાવડા (૨૨) તથા વિશાલ રાજેશભાઈ અજાણા (૨૦) રહે.બંને હડમતીયા ટંકારાને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.અને સ્ટાફના કિશોર મિયાત્રા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના વીસી ફાટક નજીક એકટિવા અકસ્માતમાં ઇજા થયેલ હોય સુખદેવભાઈ રમેશભાઈ ચાવડા (૩૬) રહે.વીસીપરાને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના કે.કે.ટુકડિયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News