હળવદમાં 19 લોકોને 3.80 લાખના મોબાઈલ શોધીને પોલીસે પરત આપ્યા
SHARE
હળવદમાં 19 લોકોને 3.80 લાખના મોબાઈલ શોધીને પોલીસે પરત આપ્યા
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતની અંદર લોકોના ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ પણ હોય તો તેને કેર પોર્ટલનો ઉપયોગ કરીને તેના ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ મોબાઈલ ફોનને શોધી કાઢવામાં આવતા હોય છે તેવી જ રીતે હળવદ તાલુકા વિસ્તારમાંથી જુદા જુદા 19 જેટલા અરજદારોના મોબાઈલ ફોન ખોવાયા કે ચોરાયા હોય તેના માટેની અરજી લેવામાં આવી હતી અને ત્યારબાદ તેને કેર પોર્ટલનો ઉપયોગ કરીને તેના ઉપર હળવદના પોલીસ કર્મચારી યુવરાજસિંહ નિરુભા જાડેજા દ્વારા કેર પોર્ટલ ઉપર મોનિટરિંગ કરવામાં આવ્યું હતું અને લોકોના 3,80,961 ની કિંમતના 19 મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા અને આ મોબાઈલ ફોન વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડાના હસ્તે મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા આ કામગીરી હળવદના પીઆઇ આર.ટી.વ્યાસની સુચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી